________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 108 - પ્રિય મિત્ર કાન્તના મૃત્યુથી થયેલી અકથ્ય વેદના વ્યક્ત કરવા માટે કાન્તના અંજની ગીતનો જ બલવંતરાયે ઉપયોગ કર્યો. સ્વાભાવિક રીતે જ થઈ ગયો. ને તેથી તો સુંદરમ ને કોકિલવિલાપ' કાવ્ય સ્વ. કાન્તના જીવનકારુણ્યથી ટપકતું લાગ્યું. આ કાવ્યમાં તેઓને મૈત્રીના ઉછાળા, વિધિના ક્રૂર આઘાત અને મિત્રનો વિયોગ પ્રખર સામર્થ્યથી આલેખાયેલા લાગ્યા. ગાંભીર્ય, દઢતા અને સરલતા માટે કાન્તને મોહ પમાડનાર ઠાકોર પણ “ઘણે ઘણે વર્ષે કાવ્યમાં સંયમ ગુમાવી બેસે છે. ને કાન્ત માટે ઝૂરે છે, બહાવરા બને છે. “સખે હૃદય ક્યાં ગયો ? જીવન એકલું ધૂળ આ” કહેતા કવિને કશું સૂઝતું નથી. કળ વળતી નથી, પામતાં તપ્ત હૃદય કવિ ઉરના અજેપાની છૂટે મોંએ વાત કરે છે. જે માત્ર ઊર્મિઉદ્ગાર ન રહેતાં રમણીય કાવ્યમયતાને ધારણ કરે છે. ક્યાંય ઉર ના થરપે મ્હારું રે પ્રભુ હું તે કેમ જિગર ઠારું ?" 33 ભૂતકાળમાં પ્રિયાના સાથમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય રમ્ય હોવા છતાં આજે રમ્ય લાગતું નથી. ઊલટું એ પ્રિયાની દુ:ખદ યાદ વધુ અપાવે છે. “સુખીગ્રીખ'માં પણ ભૂતકાળનાં સ્મરણો વિપ્રલંભશૃંગારને અંતે કરુણમાં પલટાય છે. વતનમાં પત્નીના સાન્નિધ્યે ગાળેલી ગ્રીષ્મ ફરી ફરી યાદ આવે છે. પત્ની મૃત્યુ પામતાં બધું જ વિરમી ગયું. ગયું બધું જ ગયું, જતાં જ મુજ સૃષ્ટિનો મેર તું” 34 (“ભણકાર' 184). “જાગરણ' કાવ્ય પણ આમ તો મૃતિવેદનાનું જ છે, મૃત્યુ પામનાર તો કદાચ સંવેદનોથી, સંબંધોથી મુક્ત થઈ જાય છે. પણ એમની પછી એમના સ્વજનોની પીડા વિશેષ કષ્ટભરી હોય છે. યમનો ઘા એમના જ પર ગંભીર ઝીંકાયાનો જાણે તેઓ અનુભવ કરે છે. ઉર ગત સ્વજનને સતત સ્મર્યા કરે છે. બળતા હૃદયને શીતળતા અર્પવા કવિ પવિત્ર ઘાસદુર્વાનો પટ રચે છે. જીવતા મોતની યાતના બે પંક્તિમાં મર્મવેધક રીતે રજૂ થઈ છે. “મોત, જીવતું મોત બેમાં વધુ વસમું કયું ?" 32 (‘ભણકાર' 181). સ્મરણો વધુ કરુણતા સર્જે છે. “ઘુતિકણી'માંય આમ તો વાત સ્મરણોની જ છે. જે વધુ યાદ આવે એ સ્મૃતિરૂપે જાણે દશ્યરૂપ બની આકારિત થાય, તો “આરતી'માં પત્ની જતાં કવિની મૃદુ મુલાયમ બનેલી વાણીનો નિર્દેશ થયો છે. દોડતા ઝરણની જેમ નયનમાંથી અશ્રુધાર વહે છે. હોઠ દબાવીને રડવાથી, હોઠ પર દાંત ભીંસાતા લોહીના ટશિયા ફૂટે છે. મનુજતંતુની અલ્પતા' કાવ્ય પણ માણેલા દાંપત્યજીવનની મધુર સ્મૃતિઓનું છે. સ્વાનુભવમાં ભળે છે, સૌંદર્યમંડિત કલ્પના. તો ગઈ'માં પત્ની તેમજ પેલી માણેલી રજનીઓ ગયાનો સંક્ત છે. આંતરચેતનામાં પત્નીના સહવાસ-અનુભવ થયાની વાત પ્રલાપ'માં કવિ વર્ણવે છે. એ હૃદયસ્થિત સગત પ્રિયા જ કવિના ઉત્તરાયુની અનિમેષ સાક્ષી બની રહે છે. સાથે જેટલાં વર્ષ ગાળ્યાં, એનાથી વધારે વર્ષ તો એકલાં ગાળવાનાં આવ્યાં. સ્થૂળસૂક્ષ્મનો નાતો તો શક્ય નથી. કવિના પ્રશ્નનો જવાબ સદ્ગત પત્ની તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust