________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 107 દ્વારા કવિના હૃદયમાં પ્રિયાનું સ્થાન કેવું ઊંચું હતુંએ સૂચવાય છે. અનેક સંકટો મુસીબતોમાં શાંતિ અને આરામની પથારીસમું પ્રિયાનું સાન્નિધ્ય તો ગયું. મૃત્યુ પામનાર વ્યક્તિને શું થતું હશે, તે તો જાણી નથી શકાતું. પણ એના સ્વજનોની યાતના તો અતિદારુણ હોય છે. એ અહીં સમજાય છે. આકાશ તથા જયોજ્ઞાની ધારા એના એ છે. નિશા પણ તારુણ્યસભર છે. પણ પત્ની ક્યાં ? એને હવે જોવાની નહિ? જો કે કવિનું જીવનદર્શન બદલાતાં કવિ એવી કલ્પના કરે છે કે સ્વર્ગમાં રહેલી પત્ની પૃથ્વી પરના પતિની અશ્રુભીની આંખ લૂછે છે. નિકટના સ્વજનનું મૃત્યુ હંમેશાં અજંપો અને અશાંતિ સર્જે છે. ‘વિદાય” કાવ્ય કાન્તનાં પત્નીનાં અવસાન નિમિત્તે લખાયું છે. પત્નીની અસહ્ય માંદગીને અંતે મૃત્યુ નિશ્ચિત બનતાં, જાણે કે એ મૃત્યુદિવસ ખૂબ જ નજીક આવતો દેખાય છે. ચિત્તની શાંતિ હરી લેતો દિવસ આવી પહોંચ્યાના જાણે ભણકાર સંભળાય છે. બળવંતરાય ઠાકોર (૧૮૬૯-૧૫ર). ૧૮૮૮થી શરૂ થયેલી ઠાકોરની કાવ્યરચના પ્રવૃત્તિ ૧૮૯૨માં રીતસર કાર્યશિબિર (Work shop) રૂપ બની જાય છે.” * (‘અ. ગુ. વિ. રે. પાનું ર૬૨) “છેક ઊગતી વયથી રૂઢિથી ઊફરા ચાલવાનું વલણ તેમનામાં બંધાયું હતું. તેમના દાદા ચતુર્ભુજદાસ અવસાન પામ્યા ત્યારે (1889) એમની પાછળ ગરુડપુરાણને બદલે પ્લેટોના “કીડો' સંવાદનો અંતભાગ વાંચેલો.” (અ. ગુ. વિ. 2. પાનું ૨પ૬) ધીરુભાઈ ઠાકર) “બ.ક.ઠા. ના જીવનમાં મૃત્યુનો અનુભવ એ સૌથી માર્મિક અને મર્મભેદક અનુભવ છે. મૃત્યુને તીરે તીરે એમના જીવનની નાવ વહી છે.” 28 (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૩ પરિષદ) " “વિરહમાં કવિ સ્વયં નાયક છે. કવિ-પત્ની ચંદ્રમણિ નાયિકા છે. ૧૯૧૫માં ચંદ્રમણિનું ચાલીસ વર્ષની અતિ કાચી વયે અવસાન થયું હતું. ૧૯૧૪માં ચંદ્રમણિ વિદ્યમાન હતાં ને જ ‘વિરહ'નો આરંભ કર્યો હતો. એથી “પચ્ચીશી મહાલ્યાંપૂરી” 25 વર્ષનું દાંપત્ય એ વિરહની પૂર્વભૂમિકા છે. ૧૯૧૪માં કેન્સરના રોગનું નિદાન થયું ત્યારથી મૃત્યુ નિશ્ચિત હતું. એથી “વિરહ'નો આરંભ મૃત્યુની ગાઢ છાયામાં થયો હતો. ૧૯પર લગીનું એમનું જીવન મૃત્યુના સ્મરણમાં જ ગયું. પોતાના મૃત્યુની પ્રતીક્ષામાં જ વહ્યું. એમના વાર્ધક્યનો સમય એ જાણે મૃત્યુ માટેની સજ્જતાનો હતો. મૃત્યુ માટેની પાત્રતા કરવાની પૂર્વતૈયારીનો સમય હતો.” 30 મૃત્યુ એ બલવંતરાયના અંગત આત્મલક્ષી અનુભવનાં કાવ્યોમાં કેન્દ્રનો અનુભવ છે.” * ડૂબું હું શીદ શોકમાં, ગયો જ તું અશોકમાં” ચંદ્રમણિ અને કાન્તના મૃત્યુ વિશેનાં બલવંતરાયનાં સર્વશ્રેષ્ઠ કાવ્યો છે. કાન્તના મૃત્યુથી ઠાકોરે અનુભવેલી વિરહવ્યથાની ઊંડી વેદનામાંથી કોકિલવિલાપ' કાવ્ય જગ્યું. વેદનાગ્રસ્ત સ્થિતિમાં જ કાન્ત મૃત્યુ પામતાં, ઠાકોરની વેદના શબ્દાતીત છે. દેવને તેથી કવિ અવળચંડું, નફફટ અને ઉરહીશું કહે છે. રુદનના ભીષણ સૂરો ખૂબ સ્વાભાવિક રીતે વહે છે. પછી તો ઠાકોર મોકળે મને રડી પડતા હોય એવા ઉદ્દગાર નીકળી પડે છે. “ઓ રે કોકિલ રે રે કોકિલ અંતે આજ હતું નિર્મિત તો સર્વજ્ઞ તું શાને સર્જયો P.P.AC Gunratnકોમલ દિલ કોકિલ?” 32 Jun Gun Aaradhak Trust