SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 106 કાલ્ય ને દિન આજનો ભેદ, બેમાં શો પડ્યો ? નાચતું ઉર થંભિયું , ગૂઢાર્થ કોને એ જડ્યો?" રર (“સ્મરણસંહિતા” પાનું-૨). લ્યુસી હતી અને નથી, એ બે વચ્ચેના ભેદની વર્ઝવર્થે પાડેલી ચીસની જેમ કવિ પણ આર્ત ચીસ પાડી ઊઠે છે. “કાલ્ય જે રમતો હતો, પૂર જીવનજોશમાં આજ એ ચાલી ગયો - હા, લાડકો મુજ રોષમાં” 23 (સ્મરણસંહિતા” પાનું 3). સ્મરણસંહિતામાં ચાલતો શાંતરસ કરુણરસની સાથે સાથે જ વહે છે. શોકમાંથી નીકળી જઈને શોકને અંતગૂઢ ઘનવ્યથરૂપ આપવાની કવિની ક્ષમતાને સુંદરમે આ કાવ્યની રસસિદ્ધિ ગણાવી છે. “એલિજી' મરણનિમિત્તક શોકો દૂગારના આકારની કવિની યોજના ‘ટેનિસન'ના “ઇનમેમોરિયમ'ની હોવા છતાં કવિતાનું સૌદર્ય કવિનું આગવું અને સ્વતંત્ર કવિ કાન્તની કવિતાને (1827-1923) સુંદરમે અર્વાચીન કવિતાના વસંતવિજય' તરીકે ઓળખાવી છે. કાન્તની કવિતામાં દેહ અને આત્માનું સામંજસ્ય સુંદરમને દેખાયું. કવિ કાન્તની કૃતિઓનો સંગ્રહ ‘પૂર્વાલાપ' તેમના આકસ્મિક મરણ સમયે - ૧૯૨૩માં પ્રગટ થાય છે. જે જોવાનો મોકો તેમને ન મળ્યો. મિત્ર કલાપી, ભાવનગરના મહારાજા ભાઉસિંહજી, પ્રથમ પત્ની નર્મદા, પુત્ર પ્રાણલાલ, પુત્રી હૃદયલક્ષ્મી ઉપરાંત ત્રણ પુત્રીઓ અને પુત્રના અકાળ અવસાનની ઘેરી અસર તેમની કવિતામાં જોવા મળે છે. વ્યથા અને પીડાભર્યા જીવન કરતાં પ્રેમપૂર્ણ મૃત્યુ વધુ શ્રેયસ્કર હોવાનું કવિ માને છે. “પ્રમાદી નાવિક'માં પતિએ ભવસાગરમાં સાથે ચાલનારી સહચરીને પોતાના પ્રમાદથી ગુમાવ્યાનો નિર્દેશ છે. જેમાં પછી પ્રમાદી નાવિક પશ્ચાત્તાપમાં અને વિપ્રયોગના આઘાતથી દરિયામાં પડતું મૂકી જીવનનો અંત આણે છે. વિધુર કુરંગ'માં કુરંગ એ કવિનું જ પ્રતીક છે. પત્ની જતાં બાલમૃગની સંભાળ લેવા શીંગડા વડે જમીન સુંવાળી કરનાર, પથારી પાસેના કાંકરા જીભ વડે દૂર કરનાર કુરંગ પણ કવિની જ મનઃસ્થિતિનું સૂચન કરે છે. “પ્રિયા, પ્રિયતમા ગતા ! જગત સર્વ ઝાંખું થયું ગયું સુખ, ગયું બધું, ન પણ જીવવાનું ગયું” * (‘પૂર્વાલાપ' પૃ. 269) માંની વેદના તથા, કદી સ્મરણ આવતાં, રુધિર નેત્રે ઝરે દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે નહીં સ્વજન તે સખી, સ્વજન એકલી તું હતી, સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી હતી ? (‘પૂર્વાલાપ' પૃ. 132) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy