________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 103 ભારતના આ દર્શનરૂપ વિચારનું વાહન ગોવર્ધનરામ જેવા મનીષી છે.” 8 “જીવનની પારાવાર કરુણતા વચ્ચે પણ જીવનની સાચી અર્થસૂચક્તા significane of Life' શોધવી એ સાચી શાંતિ મેળવવાનો માર્ગ છે. એમ ગોવર્ધનરામ માનતા હતા.” ગોવર્ધનરામ સુધારાવાદી નથી તેમ સંરક્ષણવાદી પણ નથી. પશ્ચિમની બુદ્ધિપૂત વિજ્ઞાનદષ્ટિ અને સબળ કર્મયોગ તેમજ પૌર્વાત્ય અધ્યાત્મપરંપરામાંથી બળ મેળવતું સમાજ-સત્ત્વ એ બંને પ્રત્યે આદર સેવનારી સમન્વયદષ્ટિ તેમનામાં છે.” 10 - સુંદરમ્ આ યુગની કવિતાને સુધારકયુગ કરતાં વધારે ગહન અને વ્યાપક ગણાવે છે. તથા તેના કળાતત્ત્વના ઊંડાણ તથા વિશાળતાને બિરદાવે છે.” * (અ. ક. 145) ગોવર્ધનયુગમાં ગોવર્ધનરામ, નરસિંહરાવ દિવેટિયા, ભીમરાવ દિવેટિયા, દોલતરામ પંડ્યા, કલાપી, કાન્ત, ખબરદાર, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, જટિલ, સંચિત, બોટાદકર, કવિ ત્રિભુવન, ગજેન્દ્ર બુચ, સાગર જેવા કવિઓએ પોતાની કવિતામાં વિવિધ સંદર્ભે મૃત્વચિંતન રજૂ કર્યું છે. આ યુગની કવિતાને ઘડનારાં બાહ્ય પરિબળોમાં મુખ્ય બળ યુનિવર્સિટીની કેળવણી છે. સંસ્કૃત, અંગ્રેજી તથા ફારસી સાહિત્યની અસર આ યુગના કવિઓએ ઝીલી છે. “અર્વાચીન કવિતા ઉપર અંગ્રેજી કરતાંયે વધારે પ્રબળ અસર તેના યુરોપીય ખાસ કરીને ગ્રીક સાહિત્યની કલામીમાંસાથી સમૃદ્ધ બનેલા વિવેચને નિપજાવી.” 2 (અ. ક. 148) ધીરુભાઈ ઠાકર વય અને ગુણની દષ્ટિએ ગોવર્ધનરામ (૧૮૫૫-૧૯૦૦)ને આ ઊગતી પેઢીના અગ્રણી ગણાવે છે. તો મુનશીએ ગોવર્ધનરામથી શરૂ થતા સમયને સંસ્કૃત જાગૃતિના કાળ' તરીકે ઓળખાવ્યો છે. આ યુગના બધા કવિઓને સંસ્કૃત જાગૃતિના કવિઓ કહી શકાય. યુનિવર્સિટી શિક્ષણક્રમમાં મળેલા સંસ્કૃતના અભ્યાસને મળેલું મહત્ત્વ, હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, સ્થાનિક સ્વરાજ્યની ચળવળો, ટિળક અને ફિરોજશાહ મહેતાની રાજકીય પ્રવૃત્તિઓ તથા રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો નૂતન હિંદુ-ધર્મ પ્રબોધ, સામાન્યતઃ સાક્ષરયુગના ને ખાસ કરીને ગોવર્ધનરામના સાક્ષરજીવનના મુખ્ય પ્રેરકબળો હતાં.” 13 (ગુ. સા. વિ. 12) (ધી. ઠા.) નર્મદ, દલપત અને નવલરામે આ દુનિયામાંથી વિદાય લીધી તે પહેલાં તેમનું સ્થાન શોભાવવા અને તેમના કાર્યને સોળે કળાએ ખીલવે તેવી શક્તિને દૃષ્ટિવાળા તેમની અનુગામી પેઢીના ત્રણ સમર્થ પ્રતિનિધિઓ ગોવર્ધનરામ, મણિલાલ અને નરસિંહરાવનું સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે શુભ આગમન થઈ ચૂક્યું હતું. - ગોવર્ધનયુગ અને મૃત્યુનું નિરૂપણ : કરુણ સ્વરૂપે ગોવર્ધનરામનાં પ્રથમ પત્ની હરિલક્ષ્મી પોતાના એક સંભારણા લેખે એક બાળક મૂકી સ્વર્ગવાસ પામ્યાં. (1974) એમના વિરહશોકમાં લખાયેલી “સ્નેહમુદ્રા' કાવ્ય પ્રકારની દષ્ટિએ કરુણ પ્રશસ્તિ કે વિરહકાવ્ય છે. કાવ્યના સર્જનનું નિમિત્ત પત્નીનું મૃત્યુ હોવા છતાં તે શોક તદ્દન બિનંગતરૂપે રજૂ થયો છે. ૧૮૮૯માં “સ્નેહમુદ્રા'ની પ્રથમ આવૃત્તિ બહાર પડે છે. “સ્નેહમુદ્રાને સુંદરમ્ આપણી કવિતાના વિચિત્ર છતાં અસાધારણ આવિર્ભાવ તરીકે ઓળખાવે છે તથા એને “કાચા સુવર્ણ' જેવું કાવ્ય કહે છે. (અર્વાચીન કવિતા પૃ. 215) અનંતરાય રાવળ કહે છે “સ્નેહમુદ્રામાં શોકસરિતા બે કાંઠે વહે છે અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust