________________
• ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારતંત્ર્ય
•
ખટકતું નથી.
લેવાથી બંધાવાનું છે જ્યારે આપવાથી છૂટકારો છે.
• પ્રભાવથી અંજાઈ જઈશું, સ્વભાવ ભૂલી જઈશું તો ભૂલા પડી જઈશું.
•
જે કાયમ ટકે એ સ્વરૂપ અને જે બદલાય તે સંયોગ.
• પર્યાયમાંથી દષ્ટિનું ઉત્થાપન કરી દ્રવ્યમાં સ્થાપન કરવાનું છે.
• પરમ પારિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેટલું વિશેષ સમજાય તેટલો
ક્ષયોપશમભાવ તૈયાર થાય.
• ખોજ નિત્યની હોય ઉત્પત્તિ નશ્વરની હોય.
•
દેહમાં હુંપણું એજ મોટો સ્વચ્છંદ છે.
પ્રકૃતિમાં બધું થયાં કરે જ્યારે પુરુષ (આત્મા) જ્ઞાતાદષ્ટા ભાવમાં બધું જોયા કરે !
સાધનાનો ગર્વ કરીએ છીએ અને સાધનાથી વિખૂટા પડીએ છીએ !
નિજાનંદનો નિષ્કર્ષ ૯૨