SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગુર્વાશામાં વિકલ્પ શોધવો એ શિષ્યની અપાત્રતા છે. • આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર દૃષ્ટિ ઠરે તો સંસાર અસાર લાગ્યા વિના રહે નહિ. • સ્વમાં સ્વાધીનતા છે જ્યારે પરમાં પરાધીનતા છે. . . ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે. • જે પોતે પોતાની જાતને નહિ ઓળખે તે બીજાંને કેમ કરી ઓળખશે ? • પ્રબળ પુણ્યના ઉદયે જ સત્પુરુષનો સુયોગ થાય છે. ધ્યેય સ્પષ્ટ થયેથી જ ગતિ પ્રગતિરૂપ બને છે. • પરોપકારની વાવણી એ ઉન્નતિનું વાવેતર છે. • દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય. • કર્તા કાર્યરૂચિવાળો બને છે ત્યારે કારણઉપાદનતા પ્રગટે છે. • ઉદયના સાગરમાંથી નીકળી ચેતનના મહાસાગરમાં ન ભળ્યા તેથી સંસારસાગર ન તર્યા. ૯૧ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy