SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ . ઉભરાતા તરંગો પ્રતિ નિર્લેપતા તે મોક્ષમાર્ગ. પર્યાયનું ઉદ્ગમ સ્થાન જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે ત્યાં ઉપયોગને કેન્દ્રિત કરવો જોઈએ. • આત્મા તેના મૌલિક સ્વરૂપમાં એક તણખલાના બે ટૂકડા પણ કરી શકતો નથી. • કરવા કરતાં જોવાની એટલે કે માત્ર દૃષ્ટા રહેવાની ભૂમિકા ઊંચી છે. . . સ્વરૂપમાં રહેવું એ આત્માની સાચી જ્ઞાનક્રિયા છે. ધર્મ એ જ સાચુ ધન છે જે પરલોકમાં સાથે આવે છે. બીજાને ઉપયોગી બનવાથી યોગી બનવાના શ્રીગણેશ મંડાય છે. • આશ્રિતતા છે માટે આશ્રમની વ્યવસ્થા છે. • અલ્પ દ્રવ્યોનું સેવન પેટને હળવું રાખે, અલ્પ અપેક્ષાઓ મનને પ્રસન્નતાસભર રાખે છે. • માત્ર આંખ જ ખૂલે એને ઊઠ્યા કહેવાય, દષ્ટિ ખૂલે એને જાગ્યા કહેવાય. | Go નિજાનંદનો નિષ્કર્ષ ૮૨
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy