SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ . સારા નરસા પદાર્થ, પ્રસંગ, સંયોગ, પરિસ્થિતિની અસરથી મુક્ત થઇ સ્વભાવમાં સ્થિત થવું તે આંશિક વીતરાગતા છે. એ વીતરાગતાની, સાધનામાં મળતી ઝલક છે. મનોલય, વચનલય, કાયલયની શ્રેષ્ઠતા ઉપર મોક્ષમાર્ગ છે. • ક્રિયા રહે પણ કર્તા નીકળી જાય ! સંસાર રહે પણ સંસારભાવ નીકળી જાય ! તે ખરી સાધના છે. • પદાર્થ ઉપરનું મમત્વ નબળાઇ છે અને પદાર્થ સાથેનું એકત્વ એ મુર્ખાઇ છે. • આત્મશ્રદ્ધા દઢ થવાથી કે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. • શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ધર્મ નહિ પામી શકાય. . ઠરેલો ઠારે અને બળેલો બાળે. • સામાનો દૃષ્ટિકોણ નથી સમજાતો તેથી આપણને કષાય થાય છે. VIEW POINTS DEGREE જુદી જુદી છે તેથી જીવો જુદું જુદું માને છે. નિજાનંદનો નિષ્કર્ષ ૬૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy