SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ . . • આત્માની શોભા આત્મગુણોથી છે. ગુણવૈભવ એ જ આત્મવૈભવ. પ્રકૃતિ અને પુરુષ (=આત્મા)નો સંયોગ તે સંસાર, પ્રકૃતિ અને પુરુષનો વિયોગ તે મોક્ષ. • જો નજર આતા હૈ, વો અપના નહિ હૈ, જો અપના હૈ વો નજર નહીં આતા. સ્વનું અસ્તિત્વ, આત્માના હોવાપણાને સૂચવે છે. પોતાપણું એટલે કે સ્વત્વ અને સ્વ ગરિમા-સ્વગૌરવ-સત્વ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે. શંભુ એટલે સમભુ અર્થાત્ શિવ. એ સમભુ પાંચ ભૂતની ભેગાં ભેળો થયો એટલે શંભૂમેળો થયો. એથી જ જે સમભુ હતો તે વિષમભૂ થયો. • ભગવાન આત્મા દેહાલયમાં ગર્ભિત છે, તેથી ભયભીત છે. • જીવ કર્મજનિત છે તેથી કમજાત છે અને કમજાત છે માટે કબજિયાત ઊભી થઇ છે. એટલે જ બધું અવળું દેખાય છે અને તેથી જ અવળચંડુ વર્તન થાય છે. શાસ્ત્ર-પુરાણ કથામાં આવતું કુબ્જાનું પાત્ર કર્મજનિતતાનું સૂચક છે. ૪૩ આત્મા
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy