________________
.
આત્માને ઓળખશો તો વ્યવહારધર્મ એની મેળે સહજ થયા કરશે.
• બહારથી છોડવું પણ અંદરથી પકડમાં રહેવું એ સંસાર. - દષ્ટાંત કંડરિક.
• ક્રિયા કર્તાભાવે નથી કરવાની પણ લક્ષની જાગૃતિપૂર્વક અકર્તાભાવે કરવાની છે.
• આત્મા પોતાને ઓળખી પોતામાં સમાય એ સ્વસમય.
.
.
દેહથી ભિન્ન ચૈતન્યનું ભાન તે જ્ઞાનદશા.
ગુણો દ્વારા સદ્કાર્ય કરતાં જીવ આત્મામાં ઠરતો હોય તો તે વ્યવહારનયે મોક્ષમાર્ગ છે.
• કરવામાં ધર્મ નથી પણ થવામાં - હોવામાં ધર્મ છે અર્થાત્ આત્મામાં સમાવામાં ધર્મ છે.
• ક્રિયા કરતા ભાવનું અને ભાવ કરતાં દૃષ્ટિનું મૂલ્ય વધારે છે.
• નિશ્ચયથી જે સર્વજ્ઞ ભગવંતને ઓળખે છે તે પોતાના આત્માને ઓળખે છે.
• શ્રદ્ધામાંથી સ્વભાવની પ્રતીતિ ખસી જાય તો માત્ર ક્રિયા અને ક્રિયાજન્યભાવ જ રહે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૨