SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ si> • ગ્રહણ અને ત્યાગ જ્યાં છે તે વ્યવહાર આત્મા છે, નામધારી છે. . ક્રિયાનું ફળ તત્કાલ છે. ભાવનું ફળ ભવાંતરે-કાળાંતરે છે. • પર્યાયમાં વૈરાગ્ય દષ્ટિ નથી, તો નિત્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. • ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે. • ક્રિયા જ્ઞાનમાં, જ્ઞાન ધ્યાનમાં અને ધ્યાન સ્વરૂપલીનતામાં પરિણમવા જોઈએ. • ભાવમાં કથંચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયામાં સંપૂર્ણ પરસત્તા છે. • વ્યવહાર છોડ્યા વિના અને નિશ્ચય ભૂલ્યા વિના નિશ્ચયપૂર્વક વ્યવહાર કરવો. • અ) ક્રિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે. બ) આત્માને ઓળખીને આત્મધર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે. ૧૫૩ નિશ્ચય વ્યવહાર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy