SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ . . • જેને પોતાના આત્માની ભાવ અનુકંપા જાગે, તેને બીજા જીવો માટે ભાવ અનુકંપા થાય. • ભેદ ટાળી, અપૂર્ણતા કાઢી, અભેદ થઈ પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની ક્રિયા એ જ ધર્મ. • સંસારમાં ઔચિત્યનું-કર્તવ્યનું પાલન અવશ્ય કરો પણ કર્તાપણું કાઢીને કરો ! નિરપેક્ષ તત્ત્વને પકડવા નિરપેક્ષભાવ તરફ ઉપયોગ જવો જોઈએ ! • યોગથી ઉપયોગ શુદ્ધિ તે વ્યવહાર. ઉપયોગથી, ઉપયોગ શુદ્ધિ તે નિશ્ચય. • નિશ્ચયથી તો દૃષ્ટિની શુધ્ધિથી ધર્મ છે. ભેદજ્ઞાનથી ધર્મવૃધ્ધિ છે. પરમાં પ્રવર્તનથી જ દેશ અને કાળ ઊભાં થાય છે. • અન્ય દ્રવ્યના સંયોગે જ યોગ અને યોગક્રિયા છે. • . બહારમાં જોડાવાપણું ભલે હોય પણ અંદરમાં જો છૂટા રહેવાપણું હોય તો તે મોક્ષમાર્ગ છે. અ) પ્રતિસમય અકષાય પરિણમન એ મોક્ષમાર્ગ છે. ૧૪૭ નિશ્ચય વ્યવહાર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy