________________
• વિકલ્પનો નાશ કરવા માટે ધર્મ છે. ભાવધર્મ, દ્રવ્યધર્મથી ચઢિયાતો છે.
છ
•
.
જીવનવ્યવહારમાં થતી પ્રવૃત્તિમાં ગુણની છાયા હોવી જોઈએ અને નિવૃત્તિમાં પોતામાં ઠરવાપણું જોઈએ.
મળવું એ પુણ્યોદય છે જ્યારે બનવું એ પુરુષાર્થ છે.
અભિવ પાસે ગુણ છે પણ ગુણદૃષ્ટિ નથી. ગુણદૃષ્ટિ હોય ત્યાં ગુણસ્થાનક હોય, મોક્ષમાર્ગ હોય.
• અ) દોષદૃષ્ટિ હોય ત્યાં ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. ગુણદૃષ્ટિ હોય ત્યાં દોષ હોવા છતાં હાનિકર્તા
નથી.
બ) દોષ એ કાંટો છે. દોષદષ્ટિ એ બાવળિયાનું ઝાડ છે. * જ્યાં સુધી નિમિત્ત તરફ દૃષ્ટિ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર નહિ થાય.
-
• જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર જ્ઞાનસાર છે અને એ જ જ્ઞાનાનંદ છે.
ઈ
બીજાના ચિત્તને પ્રસન્ન રાખવું એ વ્યવહાર ધર્મનું ફળ છે. વિકલ્પમાં નહિ અટવાતા સદા આત્મભાવમાં રહેવું એ નિશ્ચયધર્મનું ફળ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૨