SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવનું સાફલ્ય, દષ્ટિ પરિવર્તનમાં- સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિમાં છે. અ) અધ્યાત્મમાં સમાધાન જ હોય અને તેથી સમાધિ જ હોય. બ) કલેશ અને સંઘર્ષ હોય ત્યાં અધ્યાત્મ ન હોય પણ અસમાધિ હોય. સંસાર જેને ગમે છે તે સંસારમાં રમે છે અને જે સંસારમાં રમે છે તે સંસારમાં ભમે છે. • શ્રાવક શ્રવણ કરે છે, તેથી વિવેક જાગે છે અને તે વિવેક, કરવા યોગ્ય ક્રિયાથી તેને યુક્ત બનાવે છે. • થવા યોગ્ય થવા કાળે થાય છે, એ સમાધાનવૃત્તિ કર્તૃત્વબુદ્ધિને ઓગાળે છે. અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ અનુભવાય. . આશ્રવનો અભાવ સંવર છે અને બંધનો અભાવ મોક્ષ છે. રાગમાં એકત્વ તે બંધ. શુદ્ધાત્મની અનુભૂતિ તે સંવર અને શુદ્ધિમાં વૃદ્ધિ તે નિર્જરા. ♦ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ એ જીવના દ્રવ્યના નહિ પણ પર્યાયના લક્ષણો છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy