SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ d ધર્મની ક્રિયા એ ઉપચાર ધર્મ છે અને ધર્મની પરિણતિ એ વાસ્તવિક ધર્મ છે. મનુષ્યભવ શુદ્ધિ સાથે સંકળાયેલ છે અને નહિ કે પુણ્ય સાથે. • યોગ્ય એ દ્રવ્ય છે. યોગ્યતા એ શક્તિ-ગુણ છે અને યોગ્યતાનું ભવન-કાર્ય એ પર્યાય છે. જ્યાં સુધી કરવા ઉપર, ક્રિયા ઉપર અને કર્તાભાવ ઉપર જોર છે, ત્યાં સુધી જ્ઞાયક તત્ત્વ નહિ ઓળખાય, નહિ પકડાય. • ત્રિકાળી ધ્રુવ તત્ત્વ તો વીતરાગ જ છે. રાગ તો પર્યાયમાં છે. • પરથી લાભ માનનારો પર સમયમાં છે. • સાધનાકાળમાં જેટલું સ્વ સમયમાં રહેવાશે તેટલું જલ્દી સ્વક્ષેત્ર-મોક્ષમાં પહોંચાશે. શ્રદ્ધાન સમ્યક્ તો પરિણમન સમ્યગ્. પરિણમન સમ્યગ્ તો તે મોક્ષપ્રદાયક મોક્ષમાર્ગ. કાંઈ ન કરવું અને આત્મામાં ઠરવું તે પરમધર્મ. જે મન-વચન-કાયયોગનો દૃષ્ટા છે, તેનું દેખીતું કરવાપણું પણ વાસ્તવમાં તો થવાપણારૂપ છે. ૧૨૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy