SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૭, ઉદ્દેશો-૪ ‘ક્રિયા' સૂત્ર-૭૦૬, 707 706. તે કાળે, તે સમયે રાજગૃહનગરમાં યાવત્ આમ કહ્યું - જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે? હા, કરે છે. ભગવદ્ ! તે સ્પષ્ટ કરાય કે અસ્પષ્ટ ? ગૌતમ ! પૃષ્ટ કરાય, અસ્કૃષ્ટ ન કરાય. એ રીતે જેમ શતક-૧-ઉદ્દેશા૬માં કહ્યું, તેમ યાવત્ “અનુક્રમ વિના નહીં સુધી કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - જીવ અને એકેન્દ્રિયને નિર્ચાઘાત અપેક્ષાએ છ દિશામાં અને વ્યાઘાતની અપેક્ષાએ કદાચ ત્રણ દિશામાં, કદાચ ચાર દિશામાં, કદાચ પાંચમાં, બાકીનાને નિયમા છ દિશામાં છે. ભગવન્! જીવો મૃષાવાદ ક્રિયા કરે છે ? હા, કરે છે. ભગવદ્ ! તે સ્પષ્ટ કરે છે. આદિ પ્રાણાતિપાત દંડક માફક મૃષાવાદ પણ કહેવો. એ પ્રમાણે અદત્તાદાન, મૈથુન, પરિગ્રહમાં પણ જાણવુ. આ પાંચ દંડકો છે. ભગવન્જે સમયે જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સમયે તે પૃષ્ટ ક્રિયા કરે કે અસ્પૃષ્ઠ? પૂર્વવત્ યાવત્ કહેવું. વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે પરિગ્રહ સુધી કહેવું, એ પ્રમાણે આ પાંચ દંડકો છે. ભગવદ્ ! જે દેશમાં જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે, તે સ્પષ્ટ કરે કે અસ્પૃષ્ઠ? પરિગ્રહ સુધી પૂર્વવત્ કહેવું. આ પણ પાંચ દંડક. .... ભગવદ્ ! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે તે સ્પષ્ટ કે અસ્પષ્ટ ? પૂર્વવતુ, પાંચ દંડક. પરિગ્રહ સુધી કહેવા. 20 દંડક થયા. 707. ભગવન્! જીવોનું દુઃખ આત્મકૃત્ છે, પરકૃત છે કે તદુભયકૃત ? ગૌતમ ! દુખ આત્મકૃત છે, પરકૃત કે ઉભયકૃત નથી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ જીવો શું આત્મકૃત દુઃખ વેદે છે, પરકૃત કે તદુભયકૃત દુઃખ વેદે છે? ગૌતમ ! આત્મકૃત દુઃખ વેદે છે. પરકૃત કે તદુભયકૃત નહીં. આમ વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! જીવોને આત્મકૃત વેદના છે, ઈત્યાદિ, પ્રશ્ન ? ગૌતમ ! આત્મકૃત વેદના છે, પરકૃત કે ઉભયકૃત નહીં. એમ વૈમાનિક સુધી આમ જાણવુ. ભગવદ્ ! જીવો આત્મકૃત વેદના વેદે છે? પરકૃત કે ઉભયકૃત વેદના વેદે છે? ગૌતમ ! આત્મકૃત વેદના વેદે છે. પરકૃત કે ઉભયકૃત નહીં. આમ વૈમાનિક સુધી જાણવુ. ભગવદ્ ! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૭, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૫ ઈશાન સૂત્ર-૭૦૮ ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધર્માસભા ક્યાં છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર સૂર્ય વિમાનની ઉપર૦ જેમ સ્થાનપદમાં કહ્યું છે, તેમ યાવત્ મધ્યમાં ઈશાનાવતંસક મહાવિમાન છે, તે મહાવિમાન સાડા બાર લાખ યોજન ઇત્યાદિ જેમ દશમાં શતકમાં શક્ર વિમાન વક્તવ્યતા છે, તે અહીં પણ ઈશાનની વક્તવ્યતા, આત્મરક્ષક દેવો સુધી સંપૂર્ણ કહેવી. સ્થિતિ સાતિરેક બે સાગરોપમ છે, બાકી પૂર્વવતુ. તે પ્રમાણે યાવત્ દેવેન્દ્ર દેવરાજ ઈશાન સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે 2.. શતક-૧૭, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૬ પૃથ્વીકાયિક' સૂત્ર-૭૦૯ ભગવદ્ ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન મુનિ દીપરત્નસાગર કૃતુ (ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 92
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy