________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્દ્રવ્ય એજના કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. તે આ - નૈરયિક દ્રવ્ય એજના, તિર્યંચ દ્રવ્ય એજના, મનુષ્ય દ્રવ્ય એજના અને દેવ દ્રવ્ય એજના. ભગવન્! એમ કેમ કહ્યું કે નૈરયિક દ્રવ્યએજના, દ્રવ્યએજના છે ? ગૌતમ ! નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તેલ છે - વર્તે છે - વર્તશે. તેથી નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા નૈરયિક દ્રવ્ય એજનામાં કંપ્યા છે - કંપે છે - કંપશે. તેથી યાવત્ દ્રવ્યેજના કહી છે. ભગવદ્ ! એમ કેમ કહો છો તિર્યંચયોનિક દ્રવ્ય એજના, તિર્યંચયોનિક દ્રવ્ય એજના છે? પૂર્વવત્. વિશેષ એ કે -તિર્યંચયોનિક દ્રવ્યેજના કહેવું. બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ દેવ દ્રવ્યંજના. ભગવન્! ક્ષેત્ર એજના કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે - નૈરયિક યાવત્ દેવક્ષેત્ર એજના. નૈરયિક ક્ષેત્રવેદના, નૈરયિક ક્ષેત્રવેદના છે? પૂર્વવતું. વિશેષ આ નૈરયિક ક્ષેત્ર વેદના કહેવું. એ પ્રમાણે યાવત્ દેવક્ષેત્ર વેદના. એ પ્રમાણે કાળ, ભવ અને ભાવથી પણ દેવભાવ એજના સુધી કહેવું. સૂત્ર૭૦૪, 705 704. ભગવન્! ચલના કેટલા ભેદે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ શરીરચલણા, ઇન્દ્રિયચલણા, યોગચલણા. ભગવન્! શરીરચલણા કેટલા ભેદે? ગૌતમ ! પાંચ ભેદ-ઔદારિક શરીરચલણા યાવત્ કામણ શરીરચલણા ભગવદ્ ! ઇન્દ્રિયચલણા કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - શ્રોત્રેન્દ્રિય-ચલણા યાવત્ સ્પર્શનેન્દ્રિય-ચલણા. ભગવન્! યોગચલણા કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે - મનોયોગ ચલણા, વચનયોગ ચલણા, કાયયોગ ચલણા. ભગવન્! ઔદારિક ચલણાને ઔદારિક ચલણા કેમ કહો છો ? ગૌતમ ! જે જીવ ઔદારિક શરીરમાં વર્તતા ઔદારિક શરીરનો યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે પરિણમાવતા ઔદારિક શરીર ચલણ ચલ્યા, ચલે છે કે ચલશે. તેથી યાવત્ આમ કહ્યું છે. ભગવન્! વૈક્રિય શરીર ચલણાને વૈક્રિય કેમ કહો છો? પૂર્વવતું. વિશેષ એ કે - વૈક્રિય શરીરમાં વર્તતા વૈક્રિય શરીર ચલણ ચલ્યા, ચલે છે કે ચલશે. કામણ શરીર ચલણા સુધી એ પ્રમાણે કહેવું. ભગવન્! શ્રોત્રેન્દ્રિય ચલણાને શ્રોત્ર કેમ કહે છે? ગૌતમ ! જીવો શ્રોત્રેન્દ્રિયમાં વર્તતા શ્રોત્રેન્દ્રિય પ્રાયોગ્ય દ્રવ્યો શ્રોત્રેન્દ્રિયરૂપે પરિણમાવતા શ્રોત્રેન્દ્રિય ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે તેથી યાવતું એમ કહ્યું. એ રીતે સ્પર્શનેન્દ્રિય ચલણા સુધી કહેવું. ભગવન્! એમ કેમ કહો છો મનોયોગચલણા, મનોયોગચલણા ? ગૌતમ ! જીવો મનોયોગમાં વર્તતા મનોયોગ પ્રાયોગ્ય દ્રવ્યોને મનોયોગપણે પરિણમાવતા મનોયોગ ચલણ ચાલ્યા, ચાલે છે, ચાલશે. તેથી યાવતુ મનોયોગ ચલણા કહ્યું. એ રીતે વચનયોગ, કાયયોગ ચલણા છે. 705. ભગવન્સંવેગ, નિર્વેદ, ગુરુ-સાધર્મિક શુશ્રુષા, આલોચના, નિંદા, ગહ, ક્ષમાપના, શ્રુતસહાયતા, વ્યપશમના ભાવમાં અપ્રતિબદ્ધતા, વિનિવર્તના, વિવિક્ત શયનાસન સેવનતા, શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયસંવર, યોગ પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, કષાય-સંભોગ-ઉપધિ-ભક્ત પ્રત્યાખ્યાન, ક્ષમા, વિરાગતા, ભાવ-યોગ-કરણ સત્ય, મન-વચન-કાય સમન્વાહરણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપન્નતા, વેદના અધ્યાસતા, મારણાંતિક અધ્યાસનતા; આ પદોનું ભગવદ્ ! અંતિમ ફળ શું ? હે આયુષ્યમાન્ શ્રમણ! ગૌતમ ! સંવેગ, નિર્વેદ યાવત્ મારણાંતિક અધ્યાસનતા આ બધાનું અતિમ ફળ સિદ્ધિ છે. તેમ હે શ્રમણાયુષ્ય! જાણવુ. ભગવન્! તે એમ જ છે, ! તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૧૭, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 91