SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' યાવત્ પ્રરૂપુ છું. શ્રમણો પંડિત છે, શ્રાવકો બાલપંડિત છે. જેણે એક પણ પ્રાણીના વધનો ત્યાગ કર્યો છે તેને એકાંતબાલ ન કહેવાય. ભગવન્! જીવો બાલ છે? પંડિત છે કે બાલપંડિત છે? ગૌતમ! જીવો આ ત્રણે છે. નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકો બાલ છે, પંડિત કે બાલપંડિત નથી. આ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ૦ પ્રશ્ન ? ગૌતમ ! તેઓ પંડિત નથી, બાળ કે બાળપંડિત છે. મનુષ્યને જીવ માફક કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવતુ કહેવા. સૂત્ર-૭૦૧, 702 - 701. ભગવદ્ ! અન્યતીથિંક એમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે- એ રીતે પ્રાણાતિપાદ, મૃષાવાદ યાવતુ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેકમાં વર્તતો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. ઔત્પાતિકી યાવત્ પારિણામિકી બુદ્ધિમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ઔત્પાતિકી અવગ્રહ, ઇહા, અપાય, ધારણામાં વર્તમાન જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ઉત્થાન યાવત્ પરાક્રમમાં વર્તનો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે નૈરયિક-તિર્યંચ-મનુષ્ય-દેવત્વમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાયમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે એ રીતે કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લ લેશ્યામાં, સમ્યક્ દૃથ્યાદિ ત્રણ, એ રીતે ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિક જ્ઞાનાદિ પાંચ, મતિઅજ્ઞાનાદિ ત્રણ, આહાર સંજ્ઞાદિ ચાર, ઔદારિક શરીરાદી પાંચ, મનોયોગાદિ ત્રણ, સાકારોપયોગ-અનાકારોપયોગમાં વર્તતો જીવ અન્ય છે, જીવાત્મા અન્ય છે. ભગવન્આ કેવી રીતે માનવું ? ગૌતમ ! જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્ પ્રરૂપું છું કે, એ રીતે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. યાવત્ અનાકારોપયોગમાં વર્તતો જીવ તે જ છે, જીવાત્મા તે જ છે. 702. ભગવદ્ ! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ પહેલા રૂપી થઈ પછી અરૂપીને વિદુર્વવામાં સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! હું આ જાણુ છું, હું આ જોઉં છું. હું આ નિશ્ચિત જાણુ છું, હું આ પૂરી તરફથી જાણું છું. મેં આ જાણ્યું - જોયુ - નિશ્ચિત કર્યુ - પૂરી રીતે જાણ્યું છે, કે તથા પ્રકારના સરૂપી, સકર્મ, સરાગ, સંવેદ, સમોહ, સલેશ્ય, સશરીર અને તે શરીરથી અવિપ્રમુક્ત જીવના વિષયમાં એવું સપ્રજ્ઞાત હોય છે. તે આ -કાળાપણુ યાવત્ શુક્લત્વ, સુરભિગંધત્વ કે દુરભિગંધત્વ, તિક્ત યાવત્ મધુર, કર્કશત્વ યાવત્ રૂક્ષત્વ હોય છે. તેથી હે ગૌતમ! યાવત્ તે દેવ સમર્થ નથી. ભગવદ્ ! તે જીવ, પહેલા અરૂપી થઈ રૂપી વિદુર્વવા સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ગૌતમ ! હું આ જાણુ છું, યાવત્ તથા પ્રકાર જીવ અરૂપ, અકર્મ, અરાગ, અવેદ, અમોહ, અલેશ્ય, અશરીર, તે શરીરથી વિપ્રમુક્ત જીવના વિષયમાં એવું જ્ઞાત નથી કે - કાળાપણુ યાવત્ રૂક્ષપણુ છે. આ કારણે હે ગૌતમ ! તે દેવ પૂર્વોક્ત રીતે વિકુર્વણા. કરી ન શકે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૭, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૩ શૈલેષી સૂત્ર-૭૦૩ ભગવન ! શૈલેષી અવસ્થા પ્રાપ્ત અણગાર સદા, નિરંતર કાંપે છે. વિશેષ કાંપે છે. યાવતું તે-તે ભાવોમાં પરિણમે છે? ના, તે અર્થ સમર્થ નથી. સિવાય કે પરપ્રયોગથી એમ થાય. ભગવન્! એજના કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદ - દ્રબૈજના, ક્ષેત્રેજના, કાલેજના, ભવૈજના, ભાવૈજના. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 90
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy