SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! તે કંદ પોતાના ભારથી પડે યાવત જીવોનો ઘાત કરે તો તે પુરૂષને કેટલી ક્રિયા લાગે ? ચાર ક્રિયા લાગે. જે જીવોના શરીરથી મૂળ, સ્કંધ નિષ્પન્ન થયા હોય તેને યાવત્ ચાર ક્રિયા લાગે. જે જીવોના શરીરથી કંદ નિવર્સેલ હોય, તે જીવોને પણ પાંચ ક્રિયા લાગે. જે જીવો, તે નીચે પડતા કંદના સ્વાભાવિક ઉપકારી હોય, તેને યાવત્ પાંચે ક્રિયાઓ લાગે. જેમ સ્કંધમાં કહ્યું, તેમ યાવત્ બીજમાં કહેવું. સૂત્ર૬૭ ભગવન્! શરીર કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ. ભગવન્ઇન્દ્રિયો કેટલી છે ? ગૌતમ ! પાંચ. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રીય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. ભગવદ્ ! યોગ કેટલા છે? ગૌતમ ! ત્રણ, મનોયોગ, વચનયોગ, કાયયોગ. ભગવન્ઔદારિક શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે ? ગૌતમ ! કદાચિત ત્રણ કે ચાર કે પાંચ. એ પ્રમાણે પૃથ્વીકાયિક, એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. આ પ્રમાણે વૈક્રિય શરીરના પણ બે દંડક કહેવા. વિશેષ એ કે - જેને વૈક્રિય શરીર હોય તેને તે કહેવું. એ પ્રમાણે કાશ્મણ શરીર સુધી કહેવું. એ પ્રમાણે પાંચ ઇન્દ્રિયો અને ત્રણે યોગોમાં જે જેને હોય, તેને તે કહેવા. એ રીતે ૨૬-દંડકો થાય. સૂત્ર-૬૯૮ ભગવન! ભાવો કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે. તે આ - ઔદયિક, ઔપથમિક, લાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સંનિપાતિક. તે ઔદયિક શું છે? ઔદયિક ભાવ બે ભેદે - ઔદયિક અને ઔદયિકનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિલાષથી જેમ અનુયોગદ્વારમાં છ નામ કહ્યા, તે સંપૂર્ણ કહેવા. યાવત્ તે સંનિપાતિક ભાવ છે. ભગવન્! તે એમ શતક-૧૭, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૭, ઉદ્દેશો-૨ “સંયત સૂત્ર-૬૯ ભગવન્શું સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાનકર્તા એવા જીવ ધર્મસ્થિત છે ? અને અસંયત, અવિરત-પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્તા અધર્મસ્થિત છે? સંયતાસંયત ધર્માધર્મમાં સ્થિત છે? હા, ગૌતમ ! સંયત, જીવ ધર્મમાં સ્થિત છે, અસંયત જીવ અધર્મસ્થિત છે અને સંયતાસંયત ધર્માધર્મ સ્થિત છે. ભગવન્! આ ધર્મ, અધર્મ કે ધર્માધર્મમાં કોઈ બેસવા યાવત્ પડખા ફેરવવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. ભગવન્! કયા કારણે આમ કહો છો ? ગૌતમ ! સંયત, વિરત યાવત્ પાપકર્મનાં પ્રત્યાખ્યાન કરનાર જીવ ધર્મસ્થિત છે, ધર્મ સ્વીકારીને વિચરે છે. અસંયત યાવત્ અધર્મસ્થિત અધર્મને સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત ધર્માધર્મમાં સ્થિત ધર્માધર્મ સ્વીકારીને વિચરે છે. તેથી એમ કહ્યું કે યાવત્ સ્થિત છે. ભગવન્! જીવો, શું ધર્મસ્થિત, અધર્મસ્થિત કે ધર્માધર્મસ્થિત છે? ગૌતમ ! જીવો, ત્રણેમાં સ્થિત છે. નૈરયિક પ્રશ્ન ? ગૌતમ ! નૈરયિક ધર્મસ્થિત નથી, અધર્મસ્થિત છે, ધર્માધર્મમાં સ્થિત નથી. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી જાણવુ. પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રશ્ન ? ગૌતમ ! તેઓ ધર્મમાં સ્થિત નથી, અધર્મ અને ધર્માધર્મ સ્થિત છે. મનુષ્યોને જીવો માફક કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવતુ જાણવા. સૂત્ર-૭૦૦ ભગવન્અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - એવું છે કે શ્રમણ પંડિત છે, શ્રાવક બાલપંડિત છે, મેક પણ પ્રાણીનો દંડ છોડેલ નથી, તે એકાંતબાલ કહેવાય છે. હે ભગવન્! અન્યતીર્થિકોનું આ કથન કઈ રીતે યથાર્થ છે ? ગૌતમ ! અન્યતીર્થિકો જે આમ કહે છે. યાવત્ તેઓ મિથ્યા કહે છે. ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 89
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy