________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 8. ભગવંત એક મોટા સૂર્ય જોઈને જાગ્યા તેથી તેમણે અનંત, અનુત્તર, નિરાબાધ, નિર્ચાઘાત, સમગ્ર, પ્રતિપૂર્ણ કેવળ ઉપર્યું. 9. ભગવંતે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટ્યો. તેથી ભગવંત, ઉદાર કીર્તિ-વર્ણ-શબ્દશ્લોકને પ્રાપ્ત થયા. 10. ભગવંત મહાવીર મેરુ પર્વતની મેરુ ચૂલિકાએ યાવત્ જાગ્યા, તેથી ભગવંતે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદા મધ્યે કેવલી ધર્મ કહ્યો. સૂત્ર-૬૮૦ કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી અશ્વપંક્તિ, ગજપંક્તિ યાવત્ વૃષભપંક્તિને અવલોકતો જુએ. તેને આરોહતો આરોહે અને પોતાને આરૂઢ થયેલો માને, એવું સ્વપ્ન જોઈને તલ્લણ જાગે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્ દુઃખનો અંત કરે છે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી દોરડી, પૂર્વથી પશ્ચિમ લાંબી, સમુદ્રને બંને કિનારે સ્પર્શતી અવલોકતો જએ, પોતાના બંને હાથે તેને સમેટતો સમેટે, પોતે સમેટી તેમ માને, તુરંત તે જાગે તો તે જ ભવગ્રહણથી યાવતુ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ એક મોટી દોરડી, પૂર્વ-પશ્ચિમ લાંબી, લોકના બંને છેડાને અવલોકતો જુએ, તેને છેદન કરતો છેદે, પોતે છેદી તેમ માને, તુરંત જાગે તો યાવત્ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા કાળા દોરા યાવત્ સફેદ દોરાને અવલોકતો જુએ. તેની ગુંચને ઉકેલતો ઉકેલે, પોતે ઉકેલી, તેમ માને તો તત્ક્ષણ જ યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાતે એક મોટા લોઢા-તાંબુ-ત્રપુષ-સીસાના ઢગલાને અવલોકતો જુએ, તેના પર ચડતો એવો ચડે, પોતે ચડ્યો તેમ માને, તત્ક્ષણ જ જાગી જાય તો બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા હિરણ્ય-સુવર્ણ-રત્ન-વજના ઢગલાને જુએ. આરોહતો આરોહે, પોતાને આરૂઢ થયો માને. પછી તુરંત જાગી જાય તો તે જ ભવે સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા વ્રણરાશી, ‘તેજોનિસર્ગ' શતક. મુજબ યાવત્ કચરાના ઢગલાને જુએ. તેને વિખેરે, પોતે તેને વિખેર્યો તેમ માને, તત્ક્ષણ જાગે, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સર-વીરણ-વંશીમૂલ-વલ્લીમૂલના સ્તંભને જુએ, તેને ઉખાડીને ફેંકે પોતે ઉખેડી નાંખ્યો તેમ માને, તલ્લણ જાગી જાય, તો તે જ ભવે યાવત્ દુઃખનો અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા ક્ષીર-દહી-ઘી-મધુના કુંભને જુએ, ઉપાડે, ઉપાડ્યો એમ માને, જલદી જાગે, તે ભવે યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સૌવીર–સુરારૂપ-તેલ-ચરબીનો કુંભ, તેને ભેદે, ભેદ્યો એમ માને, જલદી જાગે, બે ભવે સિદ્ધ થાય. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા પદ્મ સરોવરને પુષ્પીત થયેલો જુએ, તેનું અવગાહન કરે, મેં અવગાહન કર્યુ તેમ માને, તક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવતુ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાતે એક મોટો સાગર, તરંગ-કલ્લોલથી યાવત્ ઉછડતો જુએ, તેને તરી જાય, તર્યો તેમાં માને, જલદીથી યાવત્ અંત કરે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સર્વરત્નમય મહાભવનને જુએ, આરૂઢ થાય, પ્રવેશ કરતો પ્રવેશે, મેં પ્રવેશ કર્યો તેમ પોતાને માને, જલદીથી જાગી જાય, તો તે જ ભવે યાવતુ સર્વ દુઃખનો અંત કરે છે. સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સર્વરત્નમય વિમાનને જુએ, આરોહણ કરે, પોતે આરોહણ કર્યું માને, જલદીથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 84