________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ જાગે, યાવત્ અંત કરે. સૂત્ર-૬૮૧ ભગવન ! કોઈ કોષ્ઠપુટ યાવતુ કેતકીપુટ ખોલી, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય, અનુકૂળ હવા વહેતી. હોય, તો તેની ગંધ ફેલાય અથવા કોષ્ઠ યાવતુ કેતકી વાયુમાં વહે? ગૌતમ ! કોષ્ઠ યાવતુ કેતકી ન વહે પણ ધ્રાણ સહગામી પુદ્ગલો વહે છે. ભગવન્! તેમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૭ ‘ઉપયોગ સૂત્ર-૬૮૨ ભગવન્! ઉપયોગ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે. એ પ્રમાણે પન્નવણાના પદ-૨૯ ‘ઉપયોગ’ મુજબ સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે ‘પશ્યતા' પદ પણ અહી સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૮ ‘લોક' સૂત્ર-૬૮૩, 684 683. ભગવન્! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! ઘણો મોટો છે. જેમ શતક-૧૨માં કહ્યું, તેમ અસંખ્ય કોડાકોડી યોજન પરીક્ષેપથી લોક છે, ત્યાં સુધી કહેવું. ભગવદ્ ! લોકના પૂર્વીય ચરમાંતમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવપ્રદેશ છે ? ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવદેશથી અજીવ પ્રદેશ સુધી પાંચે પણ છે. જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય જીવોના દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને બેઇન્દ્રિયનો દેશ છે એ પ્રમાણે જેમ દશમાં શતકમાં કહેલ આગ્નેયી દિશાનુસાર જાણવુ. વિશેષ એ કે - ઘણા દેશોના વિષયમાં અનિન્દ્રિય સંબંધિત પહેલો ભંગ ન કહેવો. તથા ત્યાં જે અરૂપી અજીવ છે, તે જ પ્રકારે છે, ત્યાં કાળ નથી. શેષ પૂર્વવત્. ભગવન્! લોકના દક્ષિણ ચરમાંતમાં શું જીવો છે? પૂર્વી ચરમાંત માફક સર્વ કથન કરવું. એ પ્રમાણે પશ્ચિમી. અને ઉતરી ચરમાંતના વિષયમાં પણ જાણવુ. ભગવન્! લોકના ઉપરી ચરમાંતમાં જીવો છે? પ્રશ્ન. ગૌતમ ! ત્યાં જીવો નથી, જીવ દેશથી અજીવપ્રદેશ એ પાંચે છે, જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિય દેશો છે. અથવા એકેન્દ્રિય અને અનિન્દ્રિયના દેશો તથા બેઇન્દ્રિયનો એક દેશ છે. અથવા એકેન્દ્રિય, અનિન્દ્રિય, બેઇન્દ્રિયના દેશો છે, એ રીતે વચ્ચેના ભંગને છોડીને યાવત્ પંચેન્દ્રિય સુધી કહેવું. અહીં જે જીવપ્રદેશ છે, તે નિયમા એકેન્દ્રિય અને અનિન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિન્દ્રિયો, બેઇન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિન્દ્રિયો, બેઇન્દ્રિયના પ્રદેશો છે. આ રીતે પહેલા ભંગને છોડીને મે સુધી બધા ભંગ કહેવા, અજીવોને દશમ શતક મુજબ તમા(અધો)દિશા સુધી બધુ જ સંપૂર્ણ તેમજ કહેવુ. ભગવદ્ ! શું લોકના અધઃસ્તન ચરમાંતમાં જીવો છે, પ્રશ્ન. ગૌતમ ! જીવ નથી, જીવ દેશો યાવત્ અજીવ પ્રદેશો છે. જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઇન્દ્રિયનો એક દેશ છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઇન્દ્રિયોના દેશો છે. એ રીતે મધ્યનો ભંગ છોડીને યાવત્ અનિન્દ્રિયો સુધી કહેવુ. બધા પ્રદેશોને છોડીને આદિનો ભંગ છોડીને બધુ પૂર્વીય ચરમાંત સુધી તેમજ કહેવું. અજીવો વિશે ઉપરના ચરમાંતની વક્તવ્યતા અનુસાર કહેવુ. મુનિ દીપરત્નસાગર કૃતુ (ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 85