________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવત્ ભાગદેવ સુધી કહેવી. વિશેષ એ કે - ધર્મદેવની સ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વકોટી. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવનું કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ણ અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉત્કૃષ્ટથી અનંતકાળ-દેશોન અપાદ્ધ પુદ્ગલા પરાવર્ત. ... ધર્મદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથત્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન અપાઠું પુદ્ગલ પરાવર્ત... દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! અંતર નથી. ભાવદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. ... ભાગદેવની પૃચ્છા. ગૌતમ ! ભાગદેવનું અંતર જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પર્યંત હોય છે. ભગવન્! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાતગુણ છે, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણ છે, તેનાથી ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ છે, તેનાથી ભાગદેવ અસંખ્યાતગુણ છે. પપ૯. ભગવદ્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, સૌધર્મક યાવત્ અશ્રુતક, રૈવેયક, અનુત્તરોપપાતિક ભાવદેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા, અનુત્તરોપપાતિક ભાવદેવ છે, ઉપરના રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, મધ્યમ રૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી રૈવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અમ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણા યાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમ સૂત્રમાં ત્રણ પ્રકારે દેવપુરુષોનું અલ્પબદુત્વ કહ્યું છે - તે જ પ્રમાણે અહીં પણ કહેવું યાવત્ જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્યાતગુણા છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૧૦ ‘આત્મા' સૂત્ર-પ૬૦, પ૬૧ પ૬૦. ભગવન્! આત્મા કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે છે. તે આ - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. ભગવન ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા છે, જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા છે ? ગૌતમ ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે. ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય, તેને યોગાત્મા હોય ? એ રીતે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માના સંબંધમાં કહેવું. ભગવનજેને દ્રવ્યાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય ? એ રીતે સર્વત્ર પ્રચ્છા કહેવી. ગૌતમ ! જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમો છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે. જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના છે, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમાં છે. જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમો હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમાં હોય છે. જેને દ્રવ્યાત્મા છે, તેને ચારિત્રાત્માની ભજના, જેને ચારિત્રાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા હોય. એ રીતે વીર્યાત્મા સાથે એ પ્રમાણે જ કહેવું. ભગવન્જેને કષાયાત્મા છે, તેને યોગાત્માની પૃચ્છા. ગૌતમ ! જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા નિયમો છે, જેને યોગાત્મા છે તેને કષાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને જાણવો. કષાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 24