SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વ્યુત્ક્રાંતિ ભેદથી સર્વાર્થસિદ્ધ પર્યન્ત કહેવું. ભગવનધર્મદેવ, ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકમાંથી ઇત્યાદિ, વ્યુત્ક્રાંતિ ભેદથી બધાનો ઉપપાત યાવતુ સર્વાર્થસિદ્ધ સુધી કહેવો, વિશેષ એ કે - તેઉકાય, વાયુકાય. તમ:પ્રભા અને અધઃસપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતર્દીપજમાંથી ન ઉપજે. ભગવદ્ ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકથી આવીને ઉપજે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! નૈરયિકથી. અને દેવથી આવીને ઉપજે, પણ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે. ભગવન્! જો નૈરયિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃથ્વીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો. જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવત્ સર્વાર્થસિદ્ધ. બાકીના બધાં દેવોને છોડી દેવા. ભગવન્! ભાવદેવ ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ ! એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપનાસૂત્રના વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું. પપ૬. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. નરદેવ વિશે પૃચ્છા. જઘન્યથી 700 વર્ષ, ઉત્કૃષ્ટથી 84 લાખ પૂર્વ. ભગવદ્ ! ધર્મદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. દેવાધિદેવ વિશે પૃચ્છા. જઘન્યથી 72 વર્ષ, ઉત્કૃષ્ટ 84 લાખ. ભાવદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. પપ૭. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવ, શું એક રૂપ વિકર્વવા સમર્થ છે કે અનેક રૂપ વિદુર્વવા સમર્થ છે ? ગૌતમ ! એક પણ વિકુ અને અનેક પણ વિકુ. જો એક રૂપ વિફર્વે તો એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયરૂપને અને પૃથફ વિકુર્વણા કરતા એકેન્દ્રિયરૂપોને યાવત્ પંચેન્દ્રિયરૂપોને વિફર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સદશ કે અસદશ વિકુ છે, વિક્ર્વીને પછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવો પણ જાણવા. દેવાધિદેવ એક રૂપ વિક્ર્વવા સમર્થ છે કે અનેક રૂપ વિક્ર્વવા સમર્થ છે ? -ગૌતમ ! એકત્વ કે પૃથક્વ રૂપો વિકર્ષવા સમર્થ છે, પણ સંપ્રાપ્તિથી કદાપિ વિકૃર્ચા નથી, વિકૃર્વતા નથી, વિકૃર્વશે નહીં. ભાવદેવ વિશે પ્રચ્છા - ગૌતમ! જેમ ભવ્યદ્રવ્ય દેવો કહ્યા, તેમ ભાવ દેવ કહેવા. કહેવા. પપ૮. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવો મરીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે? શું નૈરયિકમાં ઉપજે કે યાવત્ દેવોમાં ઉપજ ? ગૌતમ ! નૈરયિક, મનુષ્ય કે તિર્યંચમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જો તે દેવમાં ઉપજે, તો બધા દેવોમાં ઉપજે - યાવત્ - સર્વાર્થસિદ્ધમાં કહેવું. ભગવદ્ ! નરદેવો મરીને અનંતર ક્યાં ઉપજે ? પૃચ્છા. ગૌતમ ! નૈરયિકમાં ઉપજે, તિર્યંચ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. ભગવન્ધર્મદેવો મરીને અનંતર ક્યાં ઉપજે? પૃચ્છા. ગૌતમ ! નરક, તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે. જો દેવમાં ઉપજે તો શું ભવનવાસીમાં ઉપજ ? પૃચ્છા. ગૌતમ ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ના ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધા વૈમાનિકમાં ઉપજે યાવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તરોપપાતિકમાં યાવત્ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. દેવાધિદેવ આયુ પૂર્ણ કરીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે. ભગવદ્ ! ભાગદેવો ચ્યવીને અનંતર ક્યાં ઉપજે? પૃચ્છા. જેમ પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિક પદમાં અસુરકુમારોની ઉદ્વર્તના કહી તેમ અહી કહેવું. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય દેવ, કાળથી કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 23
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy