SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવ! વાનર વૃષભ, કુર્કીટ વૃષભ, મંડુક્ક વૃષભ, આ બધા નિઃશીલ, નિર્વત, નિર્ગુણ, નિર્મર્યાદ, પ્રત્યાખ્યાના પૌષધોપવાસ રહિત, કાળમાસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય ? શ્રમણ ભગવંત મહાવીર કહે છે - “ઉત્પન્ન થતો એવો ઉત્પન્ન થયો” એવું કહી શકાય. ભગવનું ! સિંહ, વાઘ યાવતુ પરાસર જેમ શતક-૭ માં ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કહ્યા છે. આ બધા નિઃશીલ આદિ પૂર્વવત્ યાવત્ કહેવા યાવત રત્નપ્રભામાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. ભગવન્! ગીધ, કાગડા, બિલાડા, મેંઢક, મોર આ બધા શીલરહીત ઇત્યાદિ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય છે. ભગવન્! આપ ખો છો, તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૯ દેવ સૂત્ર-પપ૪ થી પપ૯ પપ૪. ભગવદ્ ! દેવો કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવ. ભગવન્ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રવ્યદેવ’ કેમ કહે છે ? ગૌતમ ! જે પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભાવિ દેવપણાથી. હે ગૌતમ ! તે ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. ભગવન્! નરદેવને નરદેવ એમ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ચાતુરંત ચક્રવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બત્રીસ હજાર ઉત્તમ રાજા જેના માર્ગને અનુસરે છે, ઉત્તમ સાગરરૂપ મેખલા પર્યન્ત પૃથ્વીના અધિપતિ છે, મનુષ્યોમાં ઇન્દ્ર છે, તેથી તેમને યાવત્ નરદેવ કહે છે. ભગવદ્ ! ધર્મદેવને ધર્મદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ અણગાર ભગવંત ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેથી તેઓને યાવત્ ‘ધર્મદેવ’ એમ કહેવામાં આવે છે. ભગવન ! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરિહંત ભગવંત યાવત્ સર્વદર્શી છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે. ભગવદ્ ! ભાલદેવને ભાગદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિ નામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાવદેવ કહેવાય છે. પપપ. ભગવન્! ભવ્યદ્રવ્ય દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી-તિર્યંચથી-મનુષ્યથીદેવમાંથી આવીને ઉપજે છે? ગૌતમ ! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવમાંથી આવીને ઉપજે છે, પ્રજ્ઞાપનાસૂત્ર પદ-૬ ‘વ્યુત્ક્રાંતિ' પદાનુસાર બધાનો ઉપપાત યાવત્ અનુત્તરોપપાતિક કહેવો. વિશેષ એ કે- અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતદ્વપજ, સર્વાર્થસિદ્ધના જીવોને છોડીને યાવત્ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સર્વાર્થ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી. ભગવન્નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી, ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ ! નૈરયિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી. ભગવન્! જો નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે કે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજ ? ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે, પણ શર્કરામભાથી અધઃસપ્તમી પૃથ્વીથી આવીને ન ઉપજે. ભગવન્જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજ ? ગૌતમ ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધા દેવોમાંથી ઉત્પાદ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 22
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy