________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વનસ્પતિ કાયિકપણે, બેઇન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર ઉત્પન્ન થયેલ છે, એ પ્રમાણે બધા જીવો પણ જાણવા. એ પ્રમાણે મનુષ્યમાં સુધી કહેવું. વિશેષ એ કે - તેઇન્દ્રિયોમાં પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયિકપણે અને તેઇન્દ્રિયપણે, ચઉરિન્દ્રિયમાં ચઉરિન્દ્રિયપણે, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે, મનુષ્યોમાં મનુષ્યપણાએ, બાકી જેમ બેઇન્દ્રિયમાં કહ્યું તેમ જાણવુ. વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાનમાં અસુરકુમારમાં કહ્યા મુજબ કથન કરવું જોઈએ. ભગવદ્ ! આ જીવ સનકુમાર કલ્પના બાર લાખ વિમાન આવાસમાં પ્રત્યેક વૈમાનિકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે? ગૌતમ ! ઇત્યાદિ બધું અસુરકુમાર મુજબ કહેવું યાવત્ અનંતવાર ઉત્પન્ન થાય, પણ દેવીપણે ઉત્પન્ન થતા નથી, એ પ્રમાણે સર્વે જીવોનાં વિષયમાં જાણવુ. એ પ્રમાણે યાવતુ આનત-પ્રાણત અને આરણ-અર્ચ્યુતમાં પણ કહેવુ. ભગવન્આ જીવ શું 318 રૈવેયક વિમાનાવાસોમાંથી પ્રત્યેક વૈમાનિકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયો છે? હા, ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થયો છે. બધું સનકુમાર સમાન કહેવું, દેવીરૂપે ઉત્પન્ન ન થાય. ભગવદ્ ! આ જીવ પાંચ અનુત્તર વિમાનોમાં પ્રત્યેક અનુત્તર વિમાનાવાસમાં પૃથ્વીકાયિકપણે, ઇત્યાદિ પૂર્વવત્ કહેવું યાવતુ ત્યાં અનંતવાર દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલ નથી. એમ સર્વે જીવો પણ જાણવા. ભગવદ્ ! આ જીવ, શું બધા જીવોના માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ પણે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવદ્ ! સર્વે જીવો, આ જીવના માતારૂપે યાવત્ પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર. ભગવન્! આ જીવ, સર્વે જીવોના શત્રુ, વૈરી, ઘાતકર્તા, વધકર્તા, પ્રત્યેનીક, પ્રત્યામિત્ર રૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર. સર્વ જીવોને પણ આ પ્રમાણે જાણવુ. ભગવદ્ ! આ જીવ શું સર્વ જીવોના રાજા, યુવરાજ, યાવત્ સાર્થવાહપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર યાવત્ અનંતવાર. સર્વ જીવોમાં પણ એમ જ જાણવું. ભગવન્! આ જીવે સર્વે જીવોના દાસ, શ્રેષ્ય, ભૂતક, ભાગીદાર, ભોગપુરુષ, શિષ્ય, દ્વેષીરૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર, એ પ્રમાણે સર્વે જીવો પણ અનંતવાર જાણવા. ભગવદ્ ! તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૮ ‘નાગ’ સૂત્ર-પપ૨ તે કાળે, તે સમયે યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું - ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવા ઍવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય. શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત, વિનયાદિ દ્વારા સન્માનિત થાય છે? તે મુખ્ય દેવ રૂપે ગણાય? તેના વચનો સત્ય અને પ્રમાણભૂત ગણાય છે ? સંનિહિત થાય, મિત્ર દેવ તેનો મહિમા કરે ? હા, ગૌતમ ! નાગના ભવમાં તે અર્ચિત આદિ થાય. ભગવન્! તે ત્યાંથી ઉદ્વર્ત પામીને અનંતરભવે સિદ્ધ, બુદ્ધ યાવત્ અંતકર થાય ? હા, યાવત્ થાય. ભગવન્! મહર્ફિક દેવ, યાવત્ દ્વિશરીરી મણીમાં ઉત્પન્ન થાય? એ પ્રમાણે જેમ ‘નાગ'માં કહ્યું તેમ જાણવું. ભગવન્! મહદ્ધિક દેવ યાવત્ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય ? હા, થાય. શેષ વર્ણન નાગના વર્ણન સમાના કહેવું. વિશેષ એ કે - વૃક્ષ સંનિહિત પ્રાતિહારિક-મિત્ર દેવો દ્વારા તેનો મહિમા થાય છે. વૃક્ષની પીઠીકા પૂજિત થાય છે. બાકી પૂર્વવત્ યાવત્ તે સર્વ દુઃખનો અંત કરે છે. સૂત્ર-પપ૩ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 21