________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! રાગ, દ્વેષ, કલહ યાવત્ મિથ્યાદર્શન શલ્ય. આ બધા કેટલા વર્ણના છે ? ગૌતમ ! ક્રોધની જેમ યાવત્ ચાર સ્પર્શ સુધી કહેવું. પ૪૩. ભગવદ્ ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, આ બધા કેટલા વર્ણના યાવત્ કેટલા સ્પર્શવાળા છે ? ગૌતમ ! અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે. ભગવન્ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિકી ચારે કેટલા વર્ણાદિથી છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવન્! અવગ્રહ, ઈહા, અપાય, ધારણા એ ચારે કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવદ્ ! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આ બધા કેટલા વર્ણાદિવાળા છે? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવદ્ ! સાતમું અવકાશાંતર કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવદ્ ! સાતમો તનુવાત કેટલા વર્ણ આદિથી છે ? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ આ - આઠ સ્પર્શવાળો કહ્યો છે. જેમ સાતમો તનુવાત છે, તેમ સાતમો ઘનવાત, ઘનોદધિ, અને સાતમી પૃથ્વી કહેવા. છઠ્ઠો અવકાશાંતર વર્ણાદિ રહિત છે. છઠ્ઠો તનુવાત યાવત્ છઠ્ઠી પૃથ્વી એ આઠ સ્પર્શ વાળા છે. એ પ્રમાણે સાતમી પૃથ્વીની વક્તવ્યતા માફક થાવત્ પહેલી પૃથ્વી કહેવા. જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણસમુદ્ર, સૌધર્મકલ્પ યાવત્ ઇષતપ્રામ્ભારા પૃથ્વી, નૈરયિકવાસ યાવત્ વૈમાનિકવાસ આ બધા જ આઠ સ્પર્શવાળા છે. ભગવન્! નૈરયિકો કેટલા વર્ણ યાવત્ સ્પર્શવાળા છે ? ગૌતમ ! વૈક્રિય અને તૈજસશરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે, કામણશરીરને આશ્રીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શવાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવત્ સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકની પૃચ્છા. ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કાર્મણશરીરને આશ્રીને, નૈરયિકવતું. જીવને આશ્રીને નૈરયિકવતુ એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવા. વિશેષ એ કેવાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, તૈજસને આશ્રીને પાંચ વર્ણ યાવતુ આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવતુ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો વાયુકાયિકવત્ જાણવા. મનુષ્ય વિષયક પૃચ્છા. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ શરીરને આશ્રીને પાંચ વર્ણ યાવતું આઠ સ્પર્શે છે. કાર્પણ શરીર અને જીવને આશ્રીને નૈરયિકવત્ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા. ધર્માસ્તિકાય યાવત્ જીવાસ્તિકાય, આ બધા વર્ણાદિરહિત છે. વિશેષ એ કે પુદ્ગલાસ્તિકાય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે. જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના, બધા ચાર સ્પર્શવાળા છે. ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણાદિથી છે ? દ્રવ્યલેશ્યાને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શે છે. ભાવલેશ્યાને આશ્રીને અવર્ણાદિ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા પર્યન્ત જાણવું. સમ્યગદૃષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ એ ત્રણ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન એ ચાર, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, એ આઠ, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચારસંજ્ઞા એ સર્વે વર્ણાદિ રહિત છે. ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસશરીર એ ચારે આઠ સ્પર્શવાળા છે, કામણ શરીર, મનોયોગ, વચનયોગ એ ત્રણ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સ્પર્શવાળો છે. સાકારોપયોગ, અનાકારોપયોગ વર્ણાદિરહિત છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 17