SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! સર્વે દ્રવ્યો કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! કેટલાક સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કેટલાક સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ ચાર સ્પર્શવાળા છે, કેટલાક સર્વદ્રવ્યો એક ગંધ, એક વર્ણ, એક રસ, બે સ્પર્શવાળા છે. કેટલાક સર્વદ્રવ્યો વર્ણ યાવત્ સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વ પર્યાયોમાં જાણવું જોઈએ. અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ ત્રણે અવર્ણ યાવત્ અસ્પર્શ છે. સૂત્ર-પ૪, 545 54. ભગવન્ગર્ભમાં ઉત્પન્ન થતા જીવને કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ પરિણમે છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા પરિણામથી પરિણત થાય છે. પ૪૫. ભગવદ્ ! શું જીવ કર્મોથી જ મનુષ્ય, તિર્યંચ આદિ વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, કર્મો વિના વિવિધ રૂપોને પ્રાપ્ત થતા નથી? શું જગત કર્મોથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે, અકર્મથી નહીં ? હા, ગૌતમ! જીવ અને જગત કર્મથી વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે.. અકર્મથી વિવિધ રૂપોને પ્રાપ્ત નથી કરતા. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૬ ‘રાહુ સૂત્ર-પ૪૬ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામી આ પ્રમાણે કહે છે ભગવન્! ઘણા લોકો પરસ્પર આમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે,– નિશે રાહુ ચંદ્રને ગ્રસે છે, નિશે રાહુ ચંદ્રને ગ્રસે છે. હે ભગવન્ ! તે કઈ રીતે આમ હોય? હે ગૌતમ ! જે ઘણા લોકો પરસ્પર એમ કહે છે કે પ્રરૂપણા કરે છે યાવતુ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું, યાવત્ એમ પ્રરૂપું છું કે- એ પ્રમાણે નિશે રાહુ દેવ મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય, ઉત્તમ વસ્ત્રધારી, ઉત્તમ માલ્યધર, ઉત્તમ ગંધધર, ઉત્તમ આભરણધારી છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે - શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખરક, દરક, મગર, મસ્ય, કાચબો, કૃષ્ણસર્પ. રાહુનું દેવવિમાન પંચવર્ણી છે - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર શુક્લ. તેમાં રાહુનું કાળુ વિમાન, કાજલ વર્ણની આભાવાળુ, નીલ રાહુ વિમાન લીલી તુંબી સમાન વર્ણપ્રભાવાળુ છે. લોહિત રાહુ વિમાન મંજિટ્ટ વર્ણાભાવાળુ છે. પીત રાહુ વિમાન હાલિદ્ર વર્ણાભાવાળુ છે. શુક્લ રાહુ વિમાન ભસ્મરાશિ વર્ષાભાવાળુ કહ્યું છે. જ્યારે ગમનાગમન કરતો, વિક્ર્વણા કરતો, કામક્રીડા કરતો, રાહુદેવ પૂર્વમાં સ્થિત ચંદ્રની લશ્યાને ઢાંકીને પશ્ચિમ તરફ ચાલ્યો જાય છે, ત્યારે પૂર્વનો ચંદ્ર દેખાય છે અને પશ્ચિમનો રાહુ દેખાય છે. જ્યારે ગમનાગમન - વિદુર્વણા-પરિચાર કરતો રાહુદેવ ચંદ્રની લેશ્યાને પશ્ચિમમાં આવરીને પૂર્વમાં ચાલ્યો જાય છે, ત્યારે પશ્ચિમી ચંદ્ર દેખાય છે, પૂર્વનો રાહુ દેખાય છે. એ પ્રમાણે જેમ પૂર્વ-પશ્ચિમમાં બે આલાવા કહ્યા, એ રીતે દક્ષિણથી ઉત્તરમાં બે આલાવા કહેવા. એ રીતે ઉત્તરપૂર્વથી દક્ષિણપશ્ચિમમાં બે આલાવા કહેવા, દક્ષિણપૂર્વથી ઉત્તરપશ્ચિમમાં બે આલાવા કહેવા. એ પ્રમાણે યાવત્ ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણપૂર્વમાં રાહુ દેખાય છે. જ્યારે ગમનાગમન, વિદુર્વણા અને પરિચાર કરતો રાહુ ચંદ્ર વેશ્યાને આવરતો-આવરતો રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - એ પ્રમાણે નિશે રાહુએ ચંદ્રનું ગ્રહણ કર્યું, એ પ્રમાણે જ્યારે ગમનાગમન આદિ કરતો રાહુ ચંદ્રલેશ્યાને આવરતો નજીક થઈને પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશ્ચ ચંદ્રએ રાહુની. કુક્ષીનું ભેદન કર્યું. એ પ્રમાણે જ્યારે ગમનાગમનાદિ કરતો રાહુ ચંદ્રની લશ્યાને આવરતો પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુ વડે ચંદ્ર વમન કરાયો. એ પ્રમાણે જ્યારે ગમનાગમન કરતો રાહુ ચંદ્ર લેશ્યાને નીચેથી, બંને પડખેથી, ચારે દિશાથી આવરીને રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે - નિશે રાહુએ ચંદ્રને ગ્રસ્યો છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 18
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy