SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી. ભગવદ્ ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી. દિશામાં પુદ્ગલો પ્રથફ થાય? પૂર્વવતુ. એ રીતે ઉપચિત થાય, અપચિત થાય. સૂત્ર-૮૬૯ ભગવન્! જીવ જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ ! સ્થિતને પણ ગ્રહે, અસ્થિતને પણ ગ્રહે. ભગવન્! તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી, કાલથી, ભાવથી ગ્રહણ કરે? ગૌતમ! દ્રવ્યથી ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે. તેમાં દ્રવ્યથી અનંતપ્રદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ પન્નવણાના પહેલા આહારુદ્દેશકમાં યાવત્ નિર્વાઘાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે. ભગવન્! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતને ગ્રહે કે અસ્થિતને ? પૂર્વવત્. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારકશરીરના વિષયમાં પણ જાણવુ. ભગવન્જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે પ્રશ્ન ? ગૌતમ! સ્થિતને ગ્રહણ કરે, અસ્થિતને નહીં. બાકી ઔદારિક શરીરની માફક જાણવુ. કાર્પણ શરીરમાં પણ એમ જ જાણવુ. યાવત્ ભાવથી પણ ગ્રહે. જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહે તે શું એક પ્રદેશિકને ગ્રહે કે દ્વિપ્રદેશિકને ગ્રહે ? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્ અનુપૂર્વીથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં સુધી કહેવું.. ભગવદ્ ! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે ? ગૌતમ! નિર્ચાઘાત હોય તો ઔદારિકની માફક ઇત્યાદિ કહેવું. ભગવન્! જીવ, જે દ્રવ્યોને શ્રોસેન્દ્રિયપણે ગ્રહણ કરે ? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેવું એમ યથાવત્ જિહેન્દ્રિય પર્યન્ત જાણવુ. સ્પર્શઇન્દ્રિયના વિષયમાં ઔદારિકશરીર માફક કહેવુ. મનોયોગના વિષયમાં કાર્મણ શરીર માફક કહેવું. માત્ર નિયમા છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને ઔદારિક શરીરવત્ કહેવું. ભગવદ્ ! જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છવાસપણે ગ્રહણ કરે, તો દારિક શરીર માફક કહેવું યાવત્ કદાચ પાંચ દિશાથી આવેલને ગ્રહણ કરે. ભગવન! તે એમ જ છે 2.. કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા. શતક-૨૫, ઉદ્દેશો-૩ “સંસ્થાન” સૂત્ર-૮૭૦ ભગવદ્ ! સંસ્થાનો કેટલા છે ? ગૌતમ ! છ - પરિમંડલ, વૃત્ત, , ચતુરસ, આયત, અનિત્થસ્થ. ભગવન્! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી. પણ અનંત છે. ભગવન્! વૃત્ત સંસ્થાન. એ પ્રમાણે જ યાવત્ અનિયંત્થ જાણવુ. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી અને દ્રવ્ય-પ્રદેશાર્થતાથી પણ કહેવું. ભગવન ! આ પરિમંડલ-વૃત્ત-ચતુરસ-આયત-અનિશ્ચંત્ય સંસ્થાનોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યપ્રદેશાર્થતાથી કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાર્થપણે, વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, ચતુરઢ સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતગણ, ત્રસ સંસ્થાન દ્રવ્યાર્થતાથી સંખ્યાત ગણુ, આયત સંસ્થાન દ્રવ્યાર્થ પણે સંખ્યાતગણુ, અનિશ્ચંત્ય સંસ્થાન દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણુ છે. પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી, વૃત્ત સંસ્થાન સંખ્યાતગણુ, એ રીતે દ્રવ્યાર્થતા માફક પ્રદેશાર્થતાએ કહેવું. યાવત્ અનિશ્ચંત્ય સંસ્થાન પ્રદેશાર્થતાએ અસંખ્યાતગણુ છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાર્થપણે આદિ પૂર્વવત્ ગમક કહેવો યાવત્ ' ' ' ' - 1 મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 167
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy