________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અનિચૅન્જ સંસ્થાન દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણુ, દ્રવ્યાર્થરૂપ અનિશ્ચંત્ય સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણ, વૃત્ત સંસ્થાન પ્રદેશાર્થતાથી સંખ્યાતગણુ, તે જ પ્રદેશાર્થતાથી આદિ ગમક પૂર્વવત્ યાવત્ અનિશ્ચંત્ય સંસ્થાન પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણુ છે. સૂત્ર-૮૭૧ ભગવન્! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! પાંચ-પરિમંડલ યાવત્ આયત. ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે. ભગવન્! વૃત્ત સંસ્થાન, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ? ગૌતમ! એ પ્રમાણે પૂર્વવત્ આયત સુધી કહેવુ. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન? એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ આયતો કહેવુ. ભગવદ્ ! શર્કરામભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન, એ પ્રમાણે જ છે, આ રીતે પૂર્વવત્ આયત સુધી કહેવું. એ. રીતે અધઃસપ્તમી સુધી છે. ભગવન ! સૌધર્મ કલ્પમાં પરિમંડલ સંસ્થાન એ પ્રમાણે જ છે, એ રીતે યાવત્ અચુત સુધી કહેવું. ભગવદ્ રૈવેયક વિમાને ? એ પ્રમાણે જ કહેવું. એ રીતે અનુત્તર વિમાન, ઇષતુપ્રભારા સુધી કહેવું. ભગવદ્ ! યવ મધ્યમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન છે ત્યાં બીજા પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન ? અનંત છે, એ પ્રમાણે આયત સુધી કહેવું. ભગવન્જ્યાં એક વૃત્ત સંસ્થાન યવાકાર છે, ત્યાં પરિમંડલ સંસ્થાન કેટલા છે? પૂર્વવત્ જાણવુ. અનેક વૃત્ત સંસ્થાન હોય, ત્યાં પણ એમ જ છે, યાવત્ આયત. એ રીતે એક-એક સંસ્થાન સાથે પાંચે પણ વિચારવા. ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન યવાકાર છે, ત્યાં બીજા પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા પૃચ્છા. ગૌતમ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે. ભગવદ્ ! વૃત્ત સંસ્થાન. શું સંખ્યાતાપૃચ્છા. ગૌતમ! સંખ્યાતાઅસંખ્યાતા નથી, અનંતા છે, એ પ્રમાણે યાવત્ આયત કહેવું. ભગવન્! આ રત્નપ્રભામાં જ્યાં યવાકાર એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા પ્રશ્ન? ગૌતમસંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ છે. એ રીતે આયત સુધી કહેવું. એ પ્રમાણે ફરી પણ એક એક સંસ્થાન સાથે પાંચેનો પણ સંબંધ જોડવા. જે રીતે નીચેના કહ્યા તેમ યાવત્ આયત’ સુધી કહેવું. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, એ રીતે કલ્પોમાં પણ યાવત્ ઈષત્ પ્રાગભારા પૃથ્વી સુધી કહેવું. સૂત્ર-૮૭૨ ભગવદ્ ! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલા પ્રદેશ અવગાઢ છે ? ગૌતમ! વૃત્ત સંસ્થાન બે ભેદે - ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી પંચ પ્રદેશી અને પંચ પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી સપ્તપ્રદેશી. અને સપ્તપ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશી છે, તે જઘન્યથી બત્રીશ પ્રદેશી, બત્રીશ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. ભગવદ્ ! ચસ સંસ્થાન કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશાવગાઢ છે ? ગૌતમ! ચુસ સંસ્થાન બે ભેદે - ઘન ચેસ, પ્રતર ચુસ. તેમાં જે પ્રતર વ્યસ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે જ પ્રવેશી છે, તે જઘન્યથી ત્રિપ્રદેશી, ત્રિપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 168