SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૫ સૂત્ર-૮૬૧ એક ગાથા દ્વારા આ શતક- ૨૫ના 12 ઉદ્દેશાનો નામ-નિર્દેશ કરે છે– લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્યવ, નિર્ઝન્ક, શ્રમણ, ઓઘ, ભવ્ય, અભવ્ય, સમ્યક્ મિથ્યા. શતક-૨૫, ઉદ્દેશો-૧ “લેશ્યા” સૂત્ર-૮૬૨ તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! વેશ્યાઓ કેટલી છે ? ગૌતમ! છે. તે આ - કૃષ્ણ લેશ્યા આદિ, જેમ શતક-૧, ઉદ્દેશો-૨માં કહ્યા મુજબ વેશ્યા વિભાગ, અલ્પબદુત્વ યાવત્ ચાર પ્રકારના દેવોનું મિશ્ર અલ્પબદુત્વ સુધી જાણવું. સૂત્ર-૮૬૩ સંસારી જીવ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ચૌદ પ્રકારે છે. તે આ - 1. સસ્મ અપર્યાપ્તક. 2. સક્ષ્મ પર્યાપ્તક 3. બાદર અપર્યાપ્તક, 4. બાદર પર્યાપ્તક, 5. બેઇન્દ્રિય અપર્યાપ્તક, 6. બેઇન્દ્રિય પર્યાપ્તક, 7-8. એ રીતે તેઇન્દ્રિય, 9-10. એ રીતે ચતુરિન્દ્રિય, 11. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક, 12. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક, 13-14. એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક અને પર્યાપ્તક. ભગવદ્ ! આ ચૌદ સંસારી જીવોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! 1. સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત જઘન્ય યોગ. 2. તેથી બાદર અપર્યાપ્તક જઘન્ય યોગ અસંખ્યાતગણા, 3. તેથી બેઇન્દ્રિય અપર્યાપ્તક જઘન્ય યોગ અસંખ્યાતગણા, 4. એ રીતે તેઇન્દ્રિયના, 5. એ રીતે ચતુરિન્દ્રિયના. 6. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા - તેથી - 7. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના જઘન્ય યોગ અસંખ્યાતગણા. 8. તેથી સૂક્ષ્મ પર્યાપ્તાં જઘન્ય યોગ અસંખ્યાતગણા, 9. બાદર પર્યાપ્તકના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા, 10. તેથી સૂક્ષ્મ અપર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 11. તેથી બાદર અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગણા. 12. તેથી સૂક્ષ્મ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 13. બાદર પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 14. બેઇન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય યોગ અસંખ્યાતગણા, 15 થી 18. એ રીતે તે ઇન્દ્રિય યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તકના યોગ અસંખ્યાતગણા - તેથી - 19. બેઇન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 20. એ રીતે ઇન્દ્રિયના, 21. એ રીતે ચતુરિન્દ્રિયના, 22-23. એ રીતે યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 24. તેથી બેઇન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 25. એ રીતે તે ઇન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. 26. ચતુરિન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા, 27. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાં ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત-ગણા. 28. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. સૂત્ર-૮૬૪ ભગવન્! પ્રથમ સમય ઉત્પન્ન બે નૈરયિક સમયોગી હોય કે વિષમયોગી? ગૌતમ ! કદાચ સમયોગી, કદાચ વિષમયોગી.ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારક નારકથી આહારક નારક કદાચિત્ હીનયોગી, કદાચ તુલ્યયોગી, કદાચ અધિક યોગી છે. જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ હીન કે સંખ્યાતગુણહીન કે અસંખ્યાતગુણહીન હોય. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. તેથી એમ કહ્યું કે - યાવતુ કદાચ વિષમયોગી હોય. આ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 165
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy