________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવો ક્યાંથી આવીને ઉપજે? આ જ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી યાવત્ અનુબંધ. વિશેષ એ કે સંઘયણ પહેલુ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ. કાલાદેશથી બે વર્ષ પૃથ૮ અધિક ૩૧-સાગરોપમ જઘન્યથી અને ત્રણ પૂર્વકોડી અધિક ૬૬સાગરોપમ ઉત્કૃષ્ટથી રહે. આ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. મનુષ્યના નવે ગમકોમાં, રૈવેયકમાં ઉત્પન્ન મનુષ્યોના ગમક સમાન કહેવું. માત્ર સંઘયણ પહેલું. ભગવન્! સર્વાર્થસિદ્ધક દેવો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, વિજયાદિ દેવ માફક કહેવો. યાવત્ - હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું વિજયાદિમાં ઉત્પન્ન થનાર માફક જાણવું. માત્ર ભવાદેશથી ત્રણ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથત્વ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં જમ્યો હોય, તો આ જ વક્તવ્યતા, માત્ર અવગાહના રત્ની પૃથત્વ, સ્થિતિ વર્ષ પૃથ7, બાકી પૂર્વવત્ કહેવું. સંવેધ જાણી લેવો. તે જ પોતાની ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં જન્મ્યો હોય તો આ જ વક્તવ્યતા. માત્ર અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી 500 ધનુષ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પૂર્વકોડી. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય ૩૩-સાગરોપમ - બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. આ સર્વાર્થ-સિદ્ધક દેવોના ત્રણ ગમકો છે. ભગવનતે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. શતક-૨૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 164