SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! પ્રત્યેક નૈરયિકના જીવને કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત અતીતમાં થયા ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે. ભગવન્! પ્રત્યેક અસુરકુમારના કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત અતીતમાં થયા? ગૌતમ ! પૂર્વવત જાણવું, એ પ્રમાણે જ. એ રીતે વૈમાનિક સુધી કહેવા. ભગવન્! પ્રત્યેક નૈરયિકના કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત છે ? અનંતા. એ પ્રમાણે જેમ ઔદારિક પુદ્ગલ પરાવર્તમાં કહ્યું, તેમ વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં પણ કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકના આનાપાન પુદ્ગલા પરાવર્ત કહેવા. ..... આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે. ! નૈરયિકોના અતીત ઔદારિક પુદગલ પરાવર્ત કેટલા થયા ? ગૌતમ! અનંતા. ભાવિ કેટલા થશે ? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ કહેવું. એ પ્રમાણે યાવત્ આનાપાના (શ્વાસોચ્છાસ) પુદ્ગલ પરાવર્ત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પ્રત્યેક જીવ અપેક્ષાથી સાત આલાવા કહેવા. ભગવન્પ્રત્યેક નૈરયિક જીવનાના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે? એક પણ નહીં થાય. ભગવનું પ્રત્યેક નૈરયિકના અસુરકુમારત્વમાં કેટલા અંતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? પૂર્વવતું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારત્વમાં, અસુરકુમારત્વ માફક કહેવું. ભગવદ્ ! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકત્વમાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી. સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે યાવત્ મનુષ્યત્વમાં જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકત્વમાં અસુરકુમારત્વ માફક જાણવું. ભગવન્! પ્રત્યેક અસુરકુમારના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? નૈરયિકની જે વક્તવ્યતા કહી, તેવી અસુરકુમારની પણ વૈમાનિક પર્યંત કહેવી. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયથી લઈને વૈમાનિક સુધી, બધાનો એક સમાન આલાવો કહેવો. ભગવન્! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત થયા ? અનંતા. ભાવિમાં કેટલા કરશે ? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારપણામાં કહેવું. ભગવન ! પ્રત્યેક નૈરયિકજીવે પૃથ્વીકાયના ભવમાં કેટલા વૈક્રિય પદ્દલ પરાવર્ત કર્યા? એક પણ નથી. ભાવિમાં કેટલા થશે? એક પણ નહીં. એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃથ્વીકાયિકત્વ માફક કહેવા. યાવત્ વૈમાનિક જીવના વૈમાનિકપણા સુધી કહેવા. તૈજસ પુદ્ગલ પરાવર્ત અને કાશ્મણ પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુદ્ગલ પરાવર્ત બધા પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું. વિકલેન્દ્રિયમાં નથી. વચન પુદ્ગલ પરાવર્ત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિય માં નથી તેમ કહેવું. આનાપાન પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી ઉત્તરોત્તર યાવત્ વૈમાનિકના વૈમાનિકપણા સુધી કહેવુ. ભગવન્! અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? એક પણ નહીં. કેટલા થશે? એક પણ નહીં, એ પ્રમાણે સ્વનિતકુમારપણા સુધી કહેવું. પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા. ગૌતમ ! અનંતા. કેટલા થશે? અનંતા. એ રીતે મનુષ્યપણા સુધી કહેવું. વ્યંતર, જયોતિષ્ઠ, વૈમાનિકત્વમાં નૈરયિકત્વ માફક કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકના વૈમાનિકપણા સુધી કહેવા. આ પ્રમાણે સાતે પણ પુદ્ગલ પરાવર્તે કહેવા. જેને છે તેને અતિત અને ભાવિના પણ અનંતા કહેવા. જેને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 15
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy