________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ૨.ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ થાય યાવત્ એક પરમાણુ, એક દશપ્રદેશિક, એક અસંખ્યાત પ્રદેશી સ્કંધ અથવા એક પરમાણુ, એક સંખ્યાતપ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ અથવા એક પરમાણુ, બે અસંખ્યાત પ્રદેશી ઢંધ અથવા એક દ્વિપ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય યાવત્ અથવા એક સંખ્યાત પ્રદેશી, બે અસંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા ત્રણે અસંખ્યાત પ્રદેશી. ૩.ચાર ભાગ કરાતા - ત્રણ પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગ યાવત્ દશક સંયોગ, જે રીતે સંખ્યાતપ્રદેશીના કહ્યા તેમ જાણવા. વિશેષ આ - અસંખ્યાતમાં એક અધિક કહેવું યાવત્ અથવા દશ અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. સંખ્યાત ભાગ કરાતા એક સંખ્યાત પરમાણુ પુદ્ગલ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય છે અથવા સંખ્યાતદ્વિપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય છે. એ પ્રમાણે યાવત્ અથવા સંખ્યાત દશપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા એક સંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય છે અથવા સંખ્યાત અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. અસંખ્યાત ભાગ કરાતા અસંખ્યાત પરમાણુ પગલો થાય. ભગવદ્ ! અનંતા પરમાણુ યુગલો એકત્રિત થઈને શું થાય ? ગૌતમ ! અનંત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભેદ કરાતા-બે, ત્રણ યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ પણ થાય છે. ૧.બે ભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ, એક અનંતપ્રદેશિક સ્કંધ યાવતુ અથવા બે અનંતપ્રદેશિક સ્કંધ થાય છે. 2. ત્રણ ભાગ કરાતા બે પરમાણુ, એક અનંતપ્રદેશિક સ્કંધ અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક અનંત-પ્રદેશિક સ્કંધ થાય. યાવત્ અથવા એક પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી, એક અનંતપ્રદેશી સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે અનંતપ્રદેશી સ્કંધ અથવા એક દ્વિપ્રદેશી, બે અનંતપ્રદેશી ઢંધ થાય. યાવત્ એક દશપ્રદેશી, બે અનંતપ્રદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાતપ્રદેશી, બે અનંતપ્રદેશી ઢંધ થાય અથવા એક અસંખ્યાત પ્રદેશી, બે અનંત પ્રદેશી ઢંધ થાય અથવા ત્રણે અનંતપ્રદેશી સ્કંધ થાય. ૩.ચાર ભાગ કરાતા-ત્રણ પરમાણુ પુદ્ગલો, એક અનંત પ્રદેશી ઢંધ થાય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગ યાવત્ અસંખ્યાત સંયોગ, બધા અસંખ્યાતમાં કહ્યા, તેમ અનંતમાં પણ કહેવા. વિશેષ એ કે - એક અનંતક અધિક કહેવું યાવત્ અથવા એક સંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે. અથવા એક સંખ્યાત અસંખ્યાતપ્રદેશી ઢંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે અથવા સંખ્યાત અનંતપ્રદેશી ઢંધ થાય છે. અસંખ્યાત ભાગ કરાતા એક અસંખ્યાત પરમાણુ, એક અનંતપ્રદેશિક સ્કંધ થાય છે અથવા એક અસંખ્યાત દ્વિપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે. યાવત્ અથવા એક અસંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય છે અથવા એક અસંખ્યાત અસંખ્યાતપ્રદેશી ઢંધ, એક અનંતપ્રદેશી ઢંધ થાય. અથવા અસંખ્ય અનંતપ્રદેશી ઢંધ થાય છે. અનંત ભાગ કરાતા અનંત પરમાણુ પુદ્ગલો થાય. સૂત્ર-પ૩૯ ભગવદ્ ! શું આ પરમાણુ પુદ્ગલોના સંઘાત(સંયોગ) અને ભેદ(વિભાગ)ના સંબંધથી થનારા અનંતાનંતા પુદગલ પરાવર્ત જાણવા યોગ્ય છે ? તેથી તેનું. કથન કરાયુ છે? હા, ગૌતમ ! તે કારણે જ તેનું કથન કરાયેલ છે. ભગવન્! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે ? ગૌતમ ! સાત પ્રકારે છે - ૧.ઔદારિક, ૨.વૈક્રિય, ૩.તૈજસ, ૪.કાર્પણ પુદ્ગલ પરાવર્ત તથા પ.મન, ઉ.વચન અને ૭.આનાપાન પુદ્ગલ પરાવર્ત. ભગવદ્ નૈરયિક જીવને કેટલા પ્રકારે પુદ્ગલ પરાવર્ત છે ? ગૌતમ ! સાત પ્રકારે છે. તે આ - ઔદારિક, વૈક્રિય યાવત્ આના પાન પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 14