________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ૪.પાંચ ભેદ કરાતા એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક છ પ્રદેશિક સ્કંધ થાય અથવા એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક પંચપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ ત્રણ પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, દ્વિપ્રદેશિક સ્કંધ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા પાંચ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. પ.છ ભેદ કરાતા-પાંચ પરમાણુ, એક પંચ પ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક ચતુઃ પ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણ પરમાણુ, બે દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, ચાર દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૬.સાત ભેદ કરાતા - છ પરમાણુ, એક ચતુઃપ્રદેશિક સ્કંધ થાય. અથવા પાંચ પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય. અથવા ચાર પરમાણુ, ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૭.આઠ ભેદ કરાતા સાત પરમાણુ, એક ત્રિપ્રદેશ સ્કંધ થાય. અથવા છ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૮.નવ ભેદ કરાતા - આઠ પરમાણુ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય અથવા છ પરમાણુ, બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય. ૯.દશ ભેદ કરાતા દશ પરમાણુ પુદ્ગલો થાય. ભગવન્! સંખ્યાતા પરમાણુ પુદ્ગલોના સંયુક્ત થવાથી શું બને છે ? ગૌતમ ! સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય છે. તેના ભાગ કરતા બે ભેદ યાવતુ દશ ભેદ, સંખ્યાત ભેદ પણ થાય. બે ભેદ કરાતા ૧.એક પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક દ્વિપ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે અથવા - x . એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. ૨.ત્રણ ભેદ કરાતા બે પરમાણુ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ પ્રમાણે થાવત્ એક પરમાણુ પુદ્ગલ, એક દશ પ્રદેશિક સ્કંધ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય અથવા એક પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક ઢિપ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એ રીતે યાવત્ એક દશા પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા ત્રણે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. ૩.ચાર ભેદ કરાતા - ત્રણ પરમાણુ પુદ્ગલ, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. બે પરમાણુ, એક દ્વિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, એક ત્રિપ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય, એ રીતે યાવત્ અથવા બે પરમાણુ, એક દશ પ્રદેશિક, એક સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા બે પરમાણુ, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. એક પરમાણુ, એક દ્વિપ્રદેશિક, બે સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય યાવત્ અથવા એક પરમાણુ, એક દશ પ્રદેશિક, બે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. અથવા એક પરમાણુ, ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા ચારે સંખ્યાત પ્રદેશિક સ્કંધ થાય. આ પ્રમાણે આ ક્રમે પાંચે યાવત્ નવ સંયોગ કહેવા. દસ ભેદ કરાતા નવ પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય. અથવા આઠ પરમાણુ, એક દ્વિપ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી ઢંધ થાય. એ રીતે આ ક્રમથી એકૈક વધતા યાવત્ અથવા એક દશપ્રદેશી, નવ સંખ્યાત પ્રદેશી ઢંધ થાય. અથવા દશે સંખ્યાતપ્રદેશી ઢંધ થાય. સંખ્યાત ભાગ કરાતા સંખ્યાત પરમાણુ પુદ્ગલો થાય. ભગવદ્ ! અસંખ્યાત પરમાણુ પુદ્ગલો એક સાથે મળતા શું થાય ? ગૌતમ ! અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. તેના ભાગ કરતા બે યાવત્ દશ, સંખ્યાત અને અસંખ્યાત ભાગ પણ થાય. ૧.બે ભાગ કરાતા એક પરમાણુ, એક અસંખ્યાતપ્રદેશી ઢંધ થાય. યાવત્ અથવા એક દશપ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય અથવા એક સંખ્યાત પ્રદેશી, એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય અથવા બંને અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 13