SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 136 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગાથાર્થ :- અથવા દ્રવ્યસ્તવ એ કડવા ઔષધ આદિના યોગથી દીર્ઘકાળે થનારા રોગોપશમ જેવો છે જ્યારે ભાવસ્તવ એ ઔષધ વગર જ રોગના ક્ષય સમાન છે. ટીકાર્થ :- ‘ડુમસથાનો '= કડવા ઔષધ આદિના યોગથી ‘આદિ' શબ્દથી ઓપરેશન કરવું ( શિરાવેધ), ક્ષારપાત આદિનું ગ્રહણ થાય છે, “મંથર સમક્ષouદો'= દીર્ઘકાળ-વિલંબે રોગના ઉપશમ જેવો ‘પદમો'= પ્રથમ દ્રવ્યસ્તવ છે. ‘વા વિ'= અથવા ‘વિસ'= ઔષધ વગર જ ‘તવવતુોય'= રોગના ક્ષય સમાન ‘વતિમો 3= બીજો ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવથી રોગ સર્વથા નાશ પામતો નથી. માટે “ઉપશમ' શબ્દનો તેમાં પ્રયોગ કર્યો છે. અર્થાત્ રોગ થોડા સમય માટે માત્ર શાંત થાય છે પણ રોગ સર્વથા મૂળમાંથી નાશ પામતો નથી, ભાવસ્તવથી રોગનો મૂળમાંથી નાશ થાય છે. માટે તેમાં “ક્ષય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીંયા કર્મરૂપી રોગ સમજવાનો છે. // 266 . 6/22 દ્રવ્યસ્તવથી કયું વિશિષ્ટ ફળ મળે છે ? તેનું પ્રતિપાદન કરે છે : पढमाउकुसलबंधो, तस्स विवागेण सुगइमादीया। तत्तो परंपराए, बीतिओ वि हु होइ कालेणं // 267 // 6/23 છાયા :- પ્રથમત્ શત્નન્ય: તળ વિપાન મુત્યિાયઃ | ततः परम्परया द्वितीयोऽपि खलु भवति कालेन // 23 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે પુણ્યના ઉદયથી સદ્ગતિ આદિની પ્રાપ્તિ થાય છે. પછી તે દ્રવ્યસ્તવ કે સંગતિની પરંપરાથી કાળાન્તરે ભાવસ્તવની પણ પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ :- ‘પદમા = દ્રવ્યસ્તવથી ‘સન્નવંધો'= પુણ્યનો બંધ થાય છે. ‘તÍ'= તે પુણ્યના ‘વિવાળ'= ફળ આપવાના સામર્થ્યરૂપ વિપાકથી અર્થાત્ ઉદયથી “સુમાવીયા'= દેવગતિ, મનુષ્યગતિ, સંપત્તિ, સૌભાગ્ય આદિ’ ‘સમર્વત્તિ' એ શબ્દ અધ્યાહાર છે. અર્થાત્ સંભવે છે. પ્રાપ્ત થાય છે. ‘તત્તો'= દ્રવ્યસ્તવની અથવા સદ્ગતિ આદિની ‘પરંપરા'= નિરંતર સંતાનરૂપ પરંપરાથી અર્થાત્ નિરંતર પ્રાપ્તિથી ‘વિતિ વિ'= ભાવસ્તવ પણ “દુ'= વાક્યાલંકારમાં છે. ‘ઋત્તેિ'= કેટલોક કાળ પસાર થયા પછી દો'= પ્રાપ્ત થાય છે. તથાભવ્યત્વનો પરિપાક કરવાના જે કારણો છે તેમાંનું એક કારણ ‘કાળ' પણ છે આથી ‘ઋત્તેિ' એમ કીધું છે. ર૬૭ / 6/23 દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ શાથી મહાન છે ? તે કહે છે : चरणपडिवत्तिरूवो,थोयम्वोचियपवित्तिओ गरुओ। संपुण्णाणाकरणं, कयकिच्चे हंदि उचियं तु // 268 // 6/24 છાયા :- વUપ્રતિપત્તિરૂપ: સ્તોતોવતપ્રવૃત્તિતો ગુરુ: | सम्पूर्णाज्ञाकरणं कृतकृत्ये हन्दि उचितं तु // 24 // ગાથાર્થ :- ચારિત્રની પ્રાપ્તિસ્વરૂપ ભાવસ્તવ પૂજનીય ભગવાનસંબંધી ઉચિતપ્રવૃત્તિરૂપ હોવાથી (દ્રવ્યસ્તવ કરતાં) મહાન છે. વીતરાગ ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવું એ કૃતકૃત્ય બનેલા વીતરાગભગવાનસંબંધી ઉચિતપ્રવૃત્તિરૂપ છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy