SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 109 ગાથાર્થ - સામાયિક સ્વીકાર્યા પછી આગળ જતાં એવું કોઇક પ્રતિપાતનું નિમિત્ત મળવાથી તે પરિણામ ચાલ્યો જાય છે અને તેની ક્રિયા પણ છૂટી જાય છે. આમ ઉભયાભાવ થતો હોવા છતાં જયારે સામાયિક સ્વીકારે છે, ત્યારે તો તે તાત્ત્વિક શાસ્ત્રોક્ત જ હોય છે. (એ વખતના પરિણામમાં કોઈ જાતનો ભેદ હોતો નથી માત્ર કર્મનો ક્ષયોપશમ વિવિધ પ્રકારનો હોવાથી તે પરિણામ અલ્પકાળ ટકે કે બહુકાળ ટકે એમ કાળની મર્યાદામાં ભેદ પડે છે, પણ પરિણામના સ્વરૂપમાં ભેદ હોતો નથી.) ટીકાર્થ :- ‘મયમાવે વિ'= સામાયિકમાંથી જ્યારે પ્રતિપાત થાય છે ત્યારે (ભાવક) પરિણામ અને ક્રિયા બંનેનો અભાવ થવા છતાં ‘સૂતો વિ'= સામાયિકના પ્રતિપાતના અનેક પ્રકારના હેતુઓમાંથી કોઈપણ, હેતુથી ‘મસામો'= આગળ જતાં અર્થાત્ સામાયિક સ્વીકાર્યા પછીના કાળમાં સામાયિકના પરિણામ અને ક્રિયાના પ્રતિપાતના અનેક કારણો સંભવે છે માટે ‘તોપ'= શબ્દનું ગ્રહણ કર્યું છે. ‘ઇંદ્રિ'= આમંત્રણ અર્થમાં છે. “રિસો જીવ'= શાસ્ત્રમાં કહેલો તાત્ત્વિક પ્રકારનો જ હોય છે, તેનાથી વિપરીત પ્રકારનો હોતો નથી. ‘તdalને'= વિવક્ષિત અંતર્મુહૂર્તમાં ‘તમાવો'= સામાયિકનો સમભાવરૂપ પરિણામ ‘વિત્તરqોવો '= ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ અનેક પ્રકારના સ્વભાવવાળો હોવાના કારણે (ઓછાવત્તા સમય રહેતો હોવા છતા) ટુંક સમય પૂરતો રહેનાર સામાયિકનો પરિણામ એ જીવનપર્યત રહેનાર સામાયિકના પરિણામ જેવો તાત્ત્વિક જ 'o '= જાણવો. અંતર્મુહૂર્ત જેટલા જઘન્યકાળમાં રહેનાર સામાયિકનો પરિણામ એ જીવનપર્યત રહેનાર સામાયિકના પરિણામ કરતાં જુદા પ્રકારનો હોય છે (એના જેવો તાત્ત્વિક નથી હોતો) આ પ્રમાણે જેઓ માને છે તે માન્યતાનું અહીં ખંડન થાય છે. કર્મના ક્ષયોપશમની વિવિધતાના કારણે તાત્ત્વિક એવો પણ સામાયિકનો પરિણામ ટુંકકાળ માત્ર જ ટકે એ સંભવિત છે. શાસ્ત્રમાં સામાયિકના પરિણામનો જઘન્ય કાળ પણ બતાવેલો હોવાથી તેનો નિષેધ કરી શકાય એમ નથી. અન્યથા જીવનપર્યત સુધી રહે એ જ સામાયિકનો પરિણામ કહેવાય, સ્વલ્પકાળ રહેનાર એ સામાયિકનો પરિણામ ન કહેવાય એમ માનીએ તો શાસ્ત્રને અપ્રમાણભૂત માનવાનો પ્રસંગ આવે. ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં શાસ્ત્રને જ પ્રમાણભૂત ગણવામાં આવે છે. કારણકે કહ્યું છે કે : ધર્મ કોને કહેવાય ? અધર્મ કોને કહેવાય ? એ નક્કી કરવામાં શાસ્ત્ર જ નિયામક છે. શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવાથી ધર્મ થાય છે અને શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરવાથી અધર્મ થાય છે.” | 218 | 9/24 પ/૪ ગાથામાં ‘મેરે વિધિમાયુવત્તમ્' જે કહેવાયું હતું, તે દ્વારનું વિવરણ કરતાં કહે છે : आहारजाइओ एस एत्थ एक्को वि होति चउभेओ। असणाइजाइभेया, णाणाइपसिद्धिओ णेओ // 219 // 5/25 છાયા :- મહારનાતિત પાત્ર વોfપ મત વર્ષેઃ | अशनादिजातिभेदाद् ज्ञानादिप्रसिद्धितो ज्ञेयः // 25 // ગાથાર્થ :- આહારજાતિની અપેક્ષાએ (જનું ભક્ષણ કરાય તે આહાર એ દષ્ટિએ) આહાર એક જ હોવા છતાં (પ્રત્યાખ્યાનની અપેક્ષાએ) તે અશનાદિ જાતિના ભેદથી (અશન, પાન, ખાદિમ અને
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy