SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 108 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद અહીં તાત્પર્ય આ છે :- સામાયિકવાળો સાધુ આહાર લે તો પણ તેને આશંસા નથી અને આહાર ન લે તો પણ તેને આશંસા નથી. આથી નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવા છતાં તેનો નિરાશસભાવનો પરિણામ જળવાઇ જ રહે છે, બદલાતો નથી. હંમેશા પોતાના પરિણામ દરેકને અનુભવસિદ્ધ હોય છે. આથી જો તેને આશંસા આવી હોત તો પોતાના એ દુષિત પરિણામને જાણીને તે તેની વિશુદ્ધિના માટે તેનું પ્રાયશ્ચિત્ત લેત. તે પ્રાયશ્ચિત્ત લેતો નથી માટે જણાય છે કે તેનો નિરભિન્કંગ પરિણામ જળવાઈ રહ્યો છે. જે રદ્દ છે 1/22 પ્રશ્ન કરે છે કે આહારના પ્રત્યાખ્યાનમાં આગારો રાખીને અપવાદમાં પ્રવૃત્તિ કરનાર સાધુને તેના ઔત્સર્ગિક સામાયિકભાવનો વિઘાત કેમ નથી થતો? અર્થાત થવો જોઇએ. તેનો પ્રત્યુત્તર આપતાં કહે છે : ण य पढमभाववाघाय मो उएवं पि अवि य तस्सिद्धि। एवं चिय होइ दढं, इहरा वामोहपायं तु // 217 // 5/23 છાયા :- 1 2 પ્રથમ માવળીયાત મ તુ વિમપિ પ ત્ર તત્સદ્ધિઃ | एवमेव भवति दृढम् इतरथा व्यामोहप्रायं तु // 23 // ગાથાર્થ :- આહારવિષયક પ્રત્યાખ્યાનના આગારોથી અપવાદ સેવવા છતાં સાધુના મૂળભૂત સામાયિકભાવને હાનિ થતી જ નથી, ઉર્દુ અપવાદોનો આશ્રય હોવાથી જ મૂળભાવની અતિશય સિદ્ધિ થાય છે. અપવાદોવાળા આહારાદિના પ્રત્યાખ્યાન ન કરે તો સાધુનું સામાયિક મૂઢતા તુલ્ય જ છે કારણ કે ઉપાયથી જ તેની સિદ્ધિ થઈ શકે છે. આહારાદિના પ્રત્યાખ્યાનનો સ્વીકાર એ તેનો ઉપાય છે. ટીકાર્થ :- ‘પદ્વમાવવાવાય'= સામાયિક સંબંધી સમભાવસ્વરૂપ મૂળ ભાવનો વિઘાત ''= નથી જ થતો. ''= આ અવ્યય પાદપૂર્તિ માટે છે, '3'= અવધારણ અર્થમાં છે. “પર્વ પિ'= આહારવિષયક પ્રત્યાખ્યાનમાં આગાર ન રાખવાની જેમ જ આગાર રાખવામાં પણ મૂળ સામાયિકભાવને કોઈપણ જાતની બાધા પહોંચતી નથી. ‘વિ '= ઉન્હેં ‘વં વિય'= આ પ્રમાણે આહારવિષયક પ્રત્યાખ્યાન કરવાથી જ તસિદ્ધિ'= સમભાવની સિદ્ધિ ‘રો'= થાય છે. "8 = અત્યંત “દરી'= અપ્રમાદની વૃદ્ધિ કરનાર આહારવિષયક પ્રત્યાખ્યાન ન કરવાથી ‘વામોહપાયં તુ'= સામાયિક મૂઢતા તુલ્ય જ છે. તેથી એ સિદ્ધ થાય છે કે આહારનું પ્રત્યાખ્યાન એ સામાયિકભાવમાં લાભ કરનાર છે. જે 227 મે ૧/૨રૂ. જો સામાયિકની પ્રતિજ્ઞા જીવનપર્યંતની જ હોય છે, થોડા કાળ માટેની નથી હોતી તો પછી શાસ્ત્રમાં સમભાવના મોક્ષ અને ગ્રહણનું નિરૂપણ કેમ કરવામાં આવ્યું છે ? સમભાવનો પરિણામ ચાલ્યો જાય છે, પાછો ફરીથી પ્રાપ્ત થાય છે તેમાં વચમાં અંતર્મુહૂર્ત કાળ પણ બતાવાયો છે, વળી નવું પ્રાપ્ત કરવામાં આવે ત્યારે પણ સામાયિકનો પરિણામ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે એમ કહેવામાં આવ્યું છે તો પછી થોડા કાળ સુધી રહેનાર સામાયિકનો પરિણામ એ શાસ્ત્રમાં વર્ણવેલા જીવનપર્યત સુધીના સામાયિકના પરિણામના જેવો જ હોય છે કે તેનાથી જુદા પ્રકારનો હોય છે? આ શંકાનું સમાધાન આપતા કહે છે : उभयाभावे वि कुतो वि अग्गओ हंदि एरिसोचेव। तक्काले तब्भावो, चित्तखओवसमओ णेओ // 218 // 5/24 છાયા :- ૩મયમાવેfપ તોfપ પ્રતો %i રંગથ્થવ | तत्काले तद्भावश्चित्रक्षयोपशमतो ज्ञेयः // 24 //
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy