SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 102 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद [સાધુભગવંતોને રોગ, પ્રમાદ, સત્ત્વની હાનિ વગેરે કારણોથી અશુભ પ્રવૃત્તિ થવાનો સંભવ છે. પ્રત્યાખ્યાનના પ્રભાવે રોગ નાશ પામે છે, અપ્રમાદ પ્રગટે છે, સત્ત્વ વધે છે તેથી અશુભ પ્રવૃત્તિ અટકીને શુભ પ્રવૃત્તિ વધે છે. તે 208 રે 1/4 સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ સામાયિક એ સર્વકાળસંબંધી અને સર્વદ્રવ્યસંબંધી હોય છે જ્યારે અદ્ધાપ્રત્યાખ્યાન તો અમુક જ કાળસંબંધી અને અમુક જ આહારસંબંધી હોય છે તો તે કરવાથી સામાયિકને બાધ કેમ ન થાય ? અર્થાત્ તેનાથી સામાયિકને બાધ થાય છે, આ શંકાનો જવાબ આપે છેઃ ण य सामाइयमेयं, बाहइ भेयगहणे वि सव्वत्थ / समभावपवित्तिणिवित्तिभावओ ठाणगमणं च // 209 // 5/15 છાયા :- સીમમેતત્ વાથતે એપ્રોપિ સર્વત્ર | સમાવપ્રવૃત્તિનિવૃત્તિમાવત: સ્થાન પામનું ર | 26 છે ગાથાર્થ :- આ અદ્ધપ્રત્યાખ્યાન તિવિહાર આદિના ભેદથી ગ્રહણ કરાતું હોવા છતાં સ્થાન અને ગમનની જેમ આહારાદિ સર્વમાં સમભાવથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ થતી હોવાથી તે સામાયિકને બાધા પહોંચાડતું નથી. ટીકાર્થ :- "'= આહાર સંબંધી આ અદ્ધાપ્રત્યાખ્યાન મેઢિને વિ'= તિવિહાર આદિ જુદા જુદા પ્રકારે ગ્રહણ કરવામાં આવતું હોવા છતાં “વ્યસ્થ'= આહારાદિ “સમાવપવિત્તાવિત્તિમાવો'= બધી જ વસ્તુમાં તે સમભાવથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિને કરે છે. તેવો સ્વભાવ હોવાથી ‘કાળમાં a'= સ્થાન અને ગમનની જેમ ‘સમિર્ચિ'= સર્વવિરતિરૂપ સામાયિકને ‘વાયત્તે'= બાધા ‘ર '= કરતું નથી. ગમનને છોડીને સ્થાન કરાય છે અને સ્થાનને છોડવા દ્વારા ગમન કરાય છે, સાધુભગવંત આ સ્થાન અને ગમનને એવી રીતે કરે છે કે જેથી સમભાવમાં બાધા ન આવે, કારણકે તે સ્થાન કે ગમન જે કાંઈ કરે છે તેમાં તેઓને રાગ નથી હોતો અને જ્યારે તે સ્થાન કે ગમનને છોડે છે ત્યારે તેના ઉપરના દ્વેષથી તેને છોડતા નથી. આમ સમભાવના બાધક એવા રાગદ્વેષ તેમને હોતા નથી. તેઓ આહારાદિમાં પણ શાસ્ત્રની આજ્ઞાનુસાર જ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરે છે. પોતાના સ્વેચ્છાચારથી તેઓ કાંઇપણ કરતાં નથી કે છોડતાં નથી. માત્ર દેશકાળના અનુસારે શાસ્ત્રમાં જે કરવાની આજ્ઞા છે તેને તેમ કરે છે અને જેને છોડવાની આજ્ઞા છે તેને તેઓ છોડે છે માટે ક્યાંય પણ તેઓને સમભાવમાં બાધા આવતી નથી. 206 1/ આગારો એ એક પ્રકારનો અપવાદ છે. આહારનાં પ્રત્યાખ્યાનમાં આગારો કહેવામાં આવ્યા છે તો સામાયિકમાં આગારો કેમ કહેવામાં નથી આવ્યા ? सामाइए आगारा, महल्लतरगे विणेह पण्णत्ता। भणिया अप्पतरे विह, णवकाराइम्मि तुच्छमिणं // 210 // 5/16 છાયા :- સામયિ. મારા મદત્તર વૉપિ નેદ પ્રજ્ઞતાઃ | भणिता अल्पतरेऽपि खलु नवकारादौ तुच्छमिदम् // 16 // ગાથાર્થ :- અહીં મોટા પણ સામાયિકમાં આગારો કહ્યાં નથી અને નવકારશી આદિ નાના પ્રત્યાખ્યાનમાં આગારો કહ્યા છે એ યુક્તિરહિત અસાર છે. આમ વાદીનો પ્રશ્ન છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy