SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 101 સર્વસાવદ્યયોગના ત્યાગસ્વરૂપ ભાવસામાયિકમાં રહેલા સાધુભગવંતને આ અમુક કાળ માટેના અમુક દ્રવ્યસંબંધી આહારના પ્રત્યાખ્યાનની શી જરૂર છે ? એનો કોઈ બીજો ગુણ નથી કે જે તેની અંદર ન આવે-(સાવદ્યયોગનાં પચ્ચકખાણમાં બધું આવી જાય.) આવી આશંકાનું સમાધાન કરવા કહે છે : सामइए वि हु सावज्जचागरूवे उगुणकरं एयं / अपमायवुड्डिजणगत्तणेण आणाउ विण्णेयं // 207 // 5/13 છાયા :- સામાયિડપ ઘનું વિત્યા રૂપે તુ ગુજરાતત્ | अप्रमादवृद्धिजनकत्वेन आज्ञातो विज्ञेयम् // 13 // ગાથાર્થ:- સર્વ પાપવ્યાપારોના ત્યાગરૂપ સર્વવિરતિ સામાયિકમાં સાધુઓને પણ આહારનું પ્રત્યાખ્યાન એ ભગવાનની આજ્ઞા હોવાથી તથા અપ્રમાદની વૃદ્ધિનું કારણ હોવાથી લાભકારી જ છે. ટીકાર્થ:- ‘સાવMવી રૂવે'= સર્વ પાપવ્યાપારના ત્યાગરૂપ “સામરૂપ વિ'= સર્વવિરતિ સામાયિકમાં પણ "'= આ આહારનું પ્રત્યાખ્યાન ‘મામયિની '= અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી “TUવર'= લાભ કરનાર છે- અવિરતસમ્યગૃષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકમાં રહેલા શ્રાવકોને તો આ આહારનું પ્રત્યાખ્યાન લાભ કરનાર છે જ પણ સર્વવિરતિ સામાયિકવાળા સાધુભગવંતોને પણ આ લાભ કરનાર છે. સાધુ ભગવંતોને અવસરોચિત આહારનું પ્રત્યાખ્યાન કરવા દ્વારા અપ્રમાદની વૃદ્ધિ થતી સ્પષ્ટ દેખાય જ છે. તો પછી સર્વ પ્રકારના આરંભ અને આહારમાં પ્રવર્તેલા ગૃહસ્થોને તો આ પ્રત્યાખ્યાનથી અપ્રમાદની વૃદ્ધિ થાય જ એ સ્પષ્ટ છે, તેઓ જો પ્રત્યાખ્યાન નહિ કરે તો સર્વત્ર પ્રમાદથી જ પ્રવૃત્તિ કરનારા છે. માટે જેટલા વિષયનું પ્રત્યાખ્યાન કરે છે તેટલી જ તેમને અપ્રમાદની વૃદ્ધિ થાય છે. “મા'= ભગવાનની આજ્ઞાથી ‘વિજેથ'= આ ગુણ કરનાર છે એમ જાણવું. / 207 / 1/13 एत्तो य अप्पमाओ, जायइ एत्थमिह अणुहवो पायं / विरतीसरणपहाणे, सुद्धपवित्तीसमिद्धिफलो // 208 // 5/14 છાયા :- રૂતજી અપ્રમાવો નાતે અત્રેદ અનુમવ: પ્રાયઃ | विरतिस्मरणप्रधानः शुद्धप्रवृत्तिसमृद्धिफलः // 14 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનથી સામાયિકમાં પ્રાયઃ અપ્રમાદની વૃદ્ધિ થાય છે. તેમાં અનુભવ એ પ્રમાણ છે. અપ્રમાદ એ પ્રાધાન્યપણે વિરતિનું સ્મરણ કરાવનાર છે. વળી અપ્રમાદના ફળરૂપે શુદ્ધપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘ત્તો '= આ પ્રત્યાખ્યાનથી ‘અખો '= આહારના ઉપભોગમાં અપ્રમાદ ‘નાયડુ'= થાય છે. ‘ત્યે'= આ પ્રમાણે “રૂદ = આ અપ્રમાદમાં ‘મજુવો'= સ્વાનુભવ પ્રમાણ છે. “પાર્થ'= પ્રાય: તે અપ્રમાદ કેવો છે ? તે કહે છે- ‘વિરતીયાપદી'= પ્રત્યાખ્યાનથી થયેલો અપ્રમાદ એ વિરતિનું સ્મરણ કરાવે છે માટે તે તેની પ્રધાનતાવાળો કહેવાય છે. “સુદ્ધપવિત્ત-સમિપત્નો'= વળી તે અપ્રમાદ શુદ્ધ ક્રિયાની વૃદ્ધિરૂપ ફળ આપે છે. અહીં ‘શુદ્ધ અને પ્રવૃત્તિ એ બે શબ્દોનો કર્મધારય સમાસ કર્યો છે પછી “સમૃદ્ધિ’ શબ્દની સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે અને છેલ્લે “શુદ્ધ પ્રવૃત્તિની વૃદ્ધિરૂપ ફળ છે જે અપ્રમાદનું એવો બહુવ્રીહિ સમાસ કર્યો છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy