SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 65 ઉંચા મૂકી દે છે, પૂજા બંધ કરી દે છે. એટલે તે આગમોની પંક્તિ ઉપર પણ વિચાર કરવો જરૂરી બને છે. અહીં સૌથી પ્રથમ તેઓ તરફથી રજૂ કરાતા આગમપાઠો જે રીતે રજૂ કરવામાં આવે છે તે જોઈને પછી તેના ઉપર વિચાર કરીએ. આ રહી તે રજૂઆત : ““શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીસૂત્ર) "तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेइ, तइए दिवसे चंदसूरदसणं करेइ, छठे दिवसे धम्मजागरियं करेइ, एक्कारसमे दिवसे वीतिकंते निव्वत्ते असुइजायकम्मकरणे, संपत्ते बारसाहदिवसे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडाविति / (शतक-११, उ. 11) તાત્પર્ય-માતાપિતા પહેલે દિવસે કુલમર્યાદા કરે છે, ત્રીજે દિવસે સૂર્યચંદ્રનો દર્શનોત્સવ કરે છે, છઠે દિવસે રાત્રિ જાગરણ કરે છે, અગિયારમો દિવસ વીત્યે છતે અશુચિકર્મ નિવારણ કર્યા પછી બારમે દિવસે સગાસંબંધી સ્વજનોને વિપુલ પ્રમાણમાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આપવા પૂર્વક ભોજન કરાવવામાં આવે છે. યાને જ્ઞાતિજમણ કરાવે છે.” શ્રી જ્ઞાતાધર્મકથાંગ: "ततेणं तस्स अम्मापियरो पढमे दिवसे जातकम्मं करेंति, बितीयदिवसे जागरियं करेंति ततीए दिवसे चंदसूरदंसणियं करेंति, एवामेव निव्वत्तेसुइजम्मकम्मकरणे संपत्ते बारसाए दिवसे विपुलं असणं पाणं खातिमं सातिमं उवक्खडावेति / (पृ. 370) તાત્પર્યાર્થ : પહેલે દિવસે માતા-પિતા જાતકર્મ કરે છે. બીજે દિવસે જાગરણ કરે છે. ત્રીજે દિવસે સૂર્ય-ચંદ્રના દર્શનોત્સવ કરે છે. એવી રીતે દિવસો વ્યતીત થતાં અશુચિ નિવારણ કર્મ કર્યા બાદ બારમે દિવસે અશનપાન-ખાદિમ-સ્વાદિમથી જ્ઞાતિજનોને સગાંસંબંધીને જમાડે છે.' શ્રી વિપાક સૂત્ર: "तते णं से विजए चोरसेणावती तस्स दारगस्स महया इड्डिसक्कारसमुदएणं दसरत्तं ठिइवडियं करेंति / तते णं विजए चोरसेणावई तस्स दारगस्स इक्कारसमे
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy