SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 64 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જીવને પ્રાપ્ત થતો નથી.” નિપૂણ્યવિરો, હિંસાપરીયો નયફ વિયં " શ્રી જિનપૂજામાં વિઘ્ન કરનારો અને હિંસા આદિમાં પરાયણ આત્મા અંતરાયકર્મ બાંધે છે.” (શ્રી કર્મગ્રન્થ-૧ ગાથા-૧૦) अर्हत् सिद्धचैत्यतपः श्रुतगुरुसाधुसङ्घ-प्रत्यनीकतया दर्शनमोहनीयं कर्म વૈજ્ઞાતિ, યેન વીસીવનન્તસંસારસમુદ્રાન્તિ: પત્યેવીવતBતે " “શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી જિનાલય, તપ, શ્રુત, ગુરુ, સાધુ અને સંઘના પ્રત્યેનીકપણાથી જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. તે કર્મથી જીવ અનંત સંસારરૂપી સમુદ્રમાં જ અથડાતો રહે છે.” (શ્રી આચારંગ-ટીકા-અ.૨. ઉ.૧) આ શાસ્ત્રવિધાન પ્રમાણે શ્રી જિનપૂજામાં અંતરાય કરનારો શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી જિનાલય, શ્રી સંઘ વગેરેનો પ્રત્યેનીક બને છે એટલે મોહનીય કર્મને બાંધે છે. આ કર્મના પ્રભાવે અનંતસંસારમાં જીવ રખડ્યા કરે છે. એ જ રીતે શ્રી જિનપૂજામાં અંતરાય કરનારો આત્મા અંતરાયકર્મ બાંધે છે. અને એ કર્મના ઉદયથી તે આત્મા ઇચ્છિત લાભ મેળવી શકતો નથી. આજે જેઓ કદાગ્રહના કારણે, શાસ્ત્રમાં નિષેધ નથી છતાં સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવે છે, પૂજા કરનારને ના પાડીને વિન્ન કરે છે, શ્રી જિનપૂજામાં અંતરાય કરનારી ચોપડી લખે કે પ્રચારે, વાંચીને ભ્રમણામાં અટવાય, પૂજા છોડી દે તે બધાય શ્રી જિનપૂજામાં વિઘ્ન કરનારા બને છે. એના પ્રભાવે ઉપર જણાવ્યા મુજબ તે આત્માઓની દુર્દશા થાય છે. માટે આજે કોઈએ પણ સૂતકના નામે શ્રી જિનપૂજા બંધ કરી - કરાવીને પોતાના આત્માની બરબાદી નોતરવી ન જોઈએ. આગમો સૂતકમાં પૂજાનો નિષેધ કરતાં નથી. સૂતકમાં પૂજા બંધ કરાવનારાઓ ઘણાં આગમોનાં પાઠછપાવીને લોકોને ભડકાવે છે. “જુઓ, જુઓ, આટલાં આગમોમાં અશુચિકર્મની વાત લખી છે એટલે તમારાથી પૂજા થાય જ નહિ.” આગમનું નામ પડતા જ બિચારા શ્રાવકો ધ્રૂજી ઊઠે છે. આગમોમાં ક્યાંય “સૂતકમાં શ્રી જિનપૂજા ન થાય તેવું લખ્યું નથી પણ અજ્ઞાનતાના કારણે ઘણા શ્રાવકો પૂજાના વસ્ત્રો ઘડી વાળીને
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy