SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] * વિશ્વજ્યાતિ ખડખચડા–ચઢઉતરના ખડકાળેા માર્ગ અને ભરેલ ગાડાઓ, આ બધીએ કઠણાઇએ એકી સાથે દૂર કરવી મુશ્કેલ લાગવાથી નદીના મધ્ય ભાગના એક વિશાળ રેતાળપટ પર પેઠે વિશ્રાંતિ અર્થે પડાવ નાખ્યું. સાથેના માણસોએ ઘણી જ મહેનત કરી. વારાફરતી ગાડાએ પહાડી ટેકરી અને ચઢાણના માર્ગે ચઢાવવાના પ્રયત્ન કર્યાં પણ ચૈતીમાં ભારે વજનદાર ગાડા ખેચી લેાથપોથ થએલ થાકેલા બળદોથી તે ખેંચાયા નહિ, જેથી તે જમીન પર લથડાતા પટકાવા લાગ્યા. પાઠના માણસાએ ઘણીએ મહેનત કરી પણ બળદ ગાડાઓ ખેંચી શકયા નહી. સત્ર વ્યાકુળતા વ્યાપી અને સૌ કાઈ નિરાશ થયા. આ સમયે ધનદેવને પેાતાના ઘરના એક મહાશક્તિશાળી ખળાઠ્ય લાડકવાયા અને નવયુત્રાન બળદની યાદ આવી. તેણે પોતાના માણસેાને કહ્યું કે: ભાઇએ ! આ અતુલ શક્તિશાળી “વૃષભ” અમારા કુટુંબને પ્રાણથી વહાલા છે. તેના પગ નીચે અમારા કુટુંબનુ એકાદ નાનુ ખાળક પણ સહેલાઇથી રમી શકે છે. ઘરના માણસાને આ બળદ એટલે પ્રિય છે કે તેના પોષણાર્થે ઘાસચારા વિગેરે નિત્ય પૂરતા પ્રમાણમાં અને છૂટથી અપાય છે. આવા પ્રિય શક્તિશાળી વૃષભને અણીના પ્રસંગે અહીં લાવે. ગાડાઓની એક ખાંધે આ વૃષભને જોડા અને બીજા બળદને બીજી ખાંધે જોડા. તે આ વિકટ માગ માંથી આપણા અવશ્ય ઉદ્ધાર કરશે. ધનદેવની આજ્ઞા મુજબ તરતજ વૃષભરાજને ત્યાં લાવવામાં આવ્યા અને જે પ્રમાણે શૂરવીર પુરુષાથી પુરુષ અણીના પ્રસ ંગે પ્રાણાંતે ધાયું` કા` પાર ઉતારવામાં આત્મબલિદાન આપે છે, તે મુજબ, આ બળદના જ્ઞાની આત્માએ સમયને ઓળખી; પોતાના માલીકના રક્ષણાર્થે પ્રાણનું બલિદાન આપવામાં પાછી પાની ન કરી જોતજોતામાં પાઠના દરેકે દરેક ગાડાઓને નદીને પેલેપાર ઊતાર્યા. જેમાં છેવટનું ગાડું પાર ઉતારતા આ અતિશ્રમિત થએલ વૃષભને લેાહીની ઉલટીએ થઇ. તેની જીભ બહાર નીકળી ગઈ અને તે ધનદેવની સામે વહાલથી જોતા મરણની અંતીમ ઘડીએ ગણવા લાગ્યું. પોતાના વહાલા વૃષભના માલીશમાં તેમ જ તેને કીમતી દવા-ઉપચારોથી સુધારવામાં ધનદેવે પણ કચાશ રાખી નહિ. બળદને તેથી કાંઈક શાંતિ મળી જેથી નજદીકના વર્ધમાનક ગામમાં જઇ શેઠે ગામના મુખીને ખેલાવી કહ્યું કે-અમેા અહીં આપના રક્ષણમાં અમારા ખીમાર બળદને મૂકીને જઈએ છીએ તે તેને પ્રેમથી સાચવજો કહી, તેના રક્ષણાર્થે સે। સાનૈયા આપ્યા. તેમ જ ગામના પટેલ આદિને યેગ્ય મૂલ્યવાન બક્ષીસ આપી સ ંતેષ્યા પાતાના વહાલસોયા કુટુંબીથી છૂટા પડતા જેટલું દુ:ખ થાય તેટલા દુ:ખી હૃદયે ધનદેવ બળદને ભાવપૂર્વક ભેટી છૂટા પડયો. ધનદેવના જવા ખાદ ગામવાસીઓએ તેમજ ગ્રામ પટેલે ખળદની પૂરેપૂરી સભાળ લીધી નહિ. તેને વખતસર ઘાસચારા તેમ જ પાણી પણ મળવા ન લાગ્યું. ગામલેાકેા સીમમાંથી પોતપાતાના ઢોરો માટે ઘાસચારો લઈને આ બળદની પાસે થઈને જ નીકળતાં, છતાં કોઈ તેની સામે પણ ન જોતુ. ઘેાડા જ દિવસેામાં હાડકા અને ચામડાનું સાવ ખાખુ બનેલ આ બળદે એક દિવસ નિરાશ બનીને અત્યંત અકળામણુમાં આંસુ વરસાવતા જીવન ત્યાગ કર્યો. અકામ તૃષ્ણા, અકામ ક્ષુધા અને તીવ્ર વેદનાને કારણે માનસિક રાષ ધરતા તે વૃષભ મરણ પામીને નજીકના જ સ્થળમાં મૂળપાણી નામે વાણવ્યંતર દેવ થયા. ઉત્પન્ન થતાં જ પાતે વિચારણા કરી કે કયા કારણથી હું આવી દેવ-ઋદ્ધિ પામ્યા. જ્ઞાનદ્વારા પોતાના પૂર્વભવ દેખાય. ગામલે કેનુ દુષ્ટ વર્તન જાણીને તે અત્યંત રાષે ભરાયા. ગ્રામજનામાં તેણે મરકીના રોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy