________________
વિભુ વર્ધમાન
[ ૫] ગૌશાલકની ઉત્પત્તિ
ઉત્તર પ્રદેશમાં શિલિંધ નામના સન્નિવેશમાં કેશવ નામે એક સૈનિક રહેતો હતો. તેને શિવા નામે એક સુશીલ પત્ની હતી. તેની કૂખથી મંખ નામે બળવાન પુત્ર જન્મ્યા હતા.
અનુક્રમે આ સંખ યૌવન અવસ્થાએ પહોંચ્યો. એક વખત તે પોતાના પિતા સાથે ફરતા ફરતાં સરેવર કાંઠે આવ્યા. અને શાંતિથી સરેવર કિનારે ન્હાવા બેઠે. તેવામાં એક વૃક્ષ પર ચક્રવાક પક્ષીનું યુગલ પ્રેમરંગમાં જીવનની મોજ માની રહ્યું હતું. સંધ્યા સમયે વૃક્ષ ઉપર બેઠેલ આ જેડલું પિતાના દેહનું ભાન ભૂલી આનંદથી કલરવ કરી રહ્યું હતું. ત્યાં દુર્દેવે એક પારધીના બાણથી ચક્રવાક વિંધાયો ને તરફડાટ સાથે તે જમીન પર પડયો અને તરફડાટ કરવા લાગ્યો. આ સમયે કિલકિલ એવા કચવાટભર્યા શબ્દોમાં પોતાનું દુઃખ અને વિગ પ્રદર્શિત કરતી ચક્રવાકીને પિતાના પતિને તરફડાટ અસહ્ય થઈ પડયો. અને જોતજોતામાં તે પણ તરફડાટ સાથે વૃક્ષ પરથી પોતાના પતિના દેહ પર તૂટી પડી. અને પડતાંની સાથે પ્રાણુમુકત બની. તેની સાથે સાથે ચકવાનો પણ પ્રાણ ક્ષણભરમાં ઊડી ગયે.
આ સમયે સરોવરકિનારે સ્નાન કરતા મખની નજરે આ કરુણાજનક ઘટના પડી. તેના હૃદય પર તેની સચોટ અસર થઈ અને અરેરાટી સાથે આ યુવાન મ પ પણ જમીન પર પછડાઈ પડ્યો અને જોતજોતામાં અંતિમ શ્વાસે અચ્છવાસ લેવા લાગ્યો.
આ અચાનક બનાવથી સરોવર કિનારે માનવ સમુદાય એકત્રિત થયે. અનેક જાતના ગ્ય ઉપચાર કરવામાં આવ્યા, પરિણામે મખ સાવધ થયો અને ભયભીત હૃદયે શૂન્ય બની પૃથ્વી, ઝાડ તેમજ પોતાના પિતા સામું જોતો એક ગાંડા માનવીની માફક બેબાકળ બન્ય.
તેને ગમે તે પ્રકારે સમજાવી ઘેર લઈ જવામાં આવ્યું. જ્યાં શાંતિ વલ્યા બાદ માથે હાથ ફેરવતા તેના પિતાએ પૂછ્યું કે-હે પુત્ર! આમ અચાનક અણચિતવ્યું શું બન્યું? જવાબમાં મુખે જણાવ્યું કે
પિતાશ્રી ! હું સરોવર કિનારે સ્નાન કરી રહેલ હતું ત્યાં મારી નજરે કિનારા પરના એક વૃક્ષ ઉપર ચકલાક પક્ષીનું જેડલું આનંદમગ્ન દેખાયું જેમાં તે સમયે ભવિતવ્યતાની દુર્ઘટના એવી બની કે આ નિર્દોષ પ્રેમીયુગલને અંત મારી જ નજર સામે અતિ દુઃખદ રાતે આવ્યા.
પિતાશ્રી ! આગલા ભવે માનસરોવરમાં એક ઝાડ પર ચક્રવાકપણે અમારું નરમાદાનું પ્રેમાળ જેવું આનંદમગ્ન બનેલ હતું તેવામાં એક પાપી ભીલે આવી મારી પક્ષિીને ઘાયલ કરી ને તે તરફડાટ કરતી ઝાડ પરથી તૂટી પડી ને પડતાની સાથે જ તેને જીવ ઉડી ગયે. પાછળ રહેલ પક્ષીના હૃદયને આ દુ:ખ અસહ્ય થઈ પડતા તે પણ માદાના શરીર પર ઝાડ પરથી તૂટી પડ્યો. અને પડતાની સાથે જ મરણ પામ્યા. આ ચક્રવાકનો જીવ તે હું તમારે ત્યાં પુત્રપણે જમ્ય છું.
હે પિતાશ્રી! આ ચક્રવાક જેડલાનું આ પ્રમાણેનું દુઃખદ અવસાન જોતાં જ મને તે જ સમયે પૂર્વભવનું અલૌકિક જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં જ અમારા પ્રેમી જોડલાને પણ આ પ્રમાણે અંત નજર સામે દેખાય. અને મારા આંતર આત્મા પર તેની પૂરતી : અસર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com