SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વિભુ વધમાન [૧] ઘણું લાંબા સમયે આ નિર્જન વનમાં આ મનુષ્ય કેવી રીતે આવી ચઢયે? તેણે ક્રોધિત થઈ પેતાની વિષમય જ્વાળા તેમના પ્રતિ ફેંકી. સાધારણ મનુષ્ય તે આ સર્પના માત્ર એક જ ફંફાડાની વિષમય વાળાથી બળીને ખાખ થઈ જતા ત્યારે પ્રભુ મહાવીર પર તેની કંઈ જ અસર ન થઈ. આ પ્રમાણે બે ત્રણ વાર આ વિષધરે પિતાની વિષપૂર્ણ જવાળાઓ ભગવંત મહાવીર પ્રત્યે ફેંકી પણ પરિણામ નિષ્ફલ ? હવે સપના કોઇ પાર ન રહ્યો. તે એરપૂર્વક પરમાત્મા પ્રત્યે દોડ્યો અને જોરથી ઉછળી પ્રભુના અંગૂઠે ડંસ માર્યો. રખે પ્રભુને મૂછિત દેહ પિતાના શરીર પર ન પડે તે ભયથી તે એક બાજુ હઠી ગયા અને સ્થિરદ્રષ્ટિએ ફેણ લગાવી પ્રભુના મુખભાવનું નિરીક્ષણ કરવા લાગ્યા. પરંતુ પ્રભુની શાંતિ અને સ્થિરતામાં કાંઈ પણ ફરક ન પડયો. અજ્ઞાની ક્રોધી સર્ષે પૂરી તાકાતથી ફરી આક્રમણ કર્યું પણ પરિણામ જેનું તે જ આવ્યું. - હવે સને નિશ્ચય થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી પણ કોઈ મહાન દૈવી શક્તિશાળી માનવ છે. થાકીને હારીને સ્થિર દ્રષ્ટિએ તે ભગવાનની સન્મુખ ધારી ધારીને જોવા લાગ્યા. આ સમયે તેને કોધ શાંત થવા સાથે પ્રભુની અદ્વિતીયતા અને ધ્યાનાવસ્થાની તેને પ્રતીતિ થઈ અને જુજ ક્ષણેમાં તે તેને હૃદયપલટ થયા. તેમ થતાંની સાથે જ પ્રશમરસ યુક્ત ભગવાનની દ્રષ્ટિમાં ચમકતી દિવ્ય શક્તિ અને ક્ષમાની તિથી એની આંખે ને ચિત્ત પ્રસન્ન થયાં. એ સમયે ધ્યાનસ્થ પ્રભુને લાગ્યું કે, આ અવસર સર્પરાજના પ્રતિબંધાર્થ એગ્ય છે, જેથી ધ્યાનમુક્ત થઈ તેમણે સર્પને સંબોધન કરી કહ્યું “હે ચંડકૌશિક ! સમજ સમજ!” ભગવાનના આ વચનામૃતથી સર્પનું હૃદય પાણી પાણી થઈ ગયું અને શાન થઈ વિચારવા લાગ્યું કે “ ચંડકૌશિક” આ નામ મેં કઈક ઠેકાણે સાંભળ્યું છે. આમ અંતરમાં ઊંડે ઊહાપોહ કરતાં કરતાં એને પોતાના પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી કેવી રીતે એને જીવ પૂર્વના ત્રીજા જ ભવે આ આશ્રમમાં ચંડકૌશિક નામનો મૂળપતિ હતો.? કેવી રીતે તે બગીચાને ઉજડ બનાવનાર રાજકુમારની પાછળ દોડ્યો? કેવી રીતે દેડતા દેડતા કૂહાડા સાથે કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યા વિગેરે હકીકત જેમ આરિસામાં પિતાનું પ્રતિબિંબ દેખાય તેમ તેના જાણવામાં આવી. ચંડકૌશિકને પૂર્વ વૃત્તાંત ચંડકૌશિકનો જીવ પૂર્વભવમાં સાધુ હતો એક વખત પારણાના દિવસે ગોચરી લેવા જતાં માર્ગમાં પગ નીચે એક દેડકી અજાણપણે ચગદાઈ ગઈ. આ સમયે તેમની સાથે એક શિષ્ય હતું. આ બનાવ તેના જોવામાં આવવાથી આલોચના માટે ચગદાઈ ગએલ દેડકી તેણે ગુરુ બતાવી. તે સમયે ગુરુએ માત્ર એટલું જ કહ્યું કે-પછી આલેચના લઈ લઈશું. બપોરના સમયે દેવવંદન કરતાં શિષ્ય આલોચના લેવા માટે સ્મરણ કરાવ્યું ત્યારે તે સમયે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy