________________
વીરવિજયજી.
(૫૩) આણંદ આધકે ધરે, અષ્ટ સંવત વાયુથી કચરે હરે. ૧ વૃષ્ટિ ગંદક, અષ્ટ કુમરી કરે; અષ્ટ કળશા ભરે, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહ; ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેરીનાં, માય સુત લાવતી; કરણ શુચિકમ જળ-કળશે ન્ડવરાવતી; કુસુમ પૂજી અલંકાર પહેરાવતી; રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩ નમીય કહે માય તુજ-આળ લીલાવતી; મેરૂ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામીગુણ ગાવતી, નિજ ઘર જાવતી; તેણે અમે ઈંદ્ર-સિંહાસન કપતી. ૪.
આ કૃતિમાં મલિકતા નજરે પડતી નથી. પૂર્વકાળના મુનિઓના કરેલા સ્નાત્રાનું આમાં અનુકરણ જ છે અને તેમાં ઘણાખરા અલંકારે પણ ચાલુ જ વપરાયા છે. એ કૃતિ સારી છે, છતાં કવિની પ્રતિભાને અનુરૂપ વિશિષ્ટ કૃતિ તરીકે અને ખાસ કરીને માલિકતાની નજરે, એને ભાગ્યે જ અસાધારણ કૃતિની કક્ષામાં મૂકી શકાય. (૬) સ્તવને.
સ્તવનોના બે પ્રકાર છે. એકમાં ભક્તિભાવથી માત્ર પ્રભુની સ્તવિના હેય છે અને બીજા પ્રકારમાં અમુકતિથિને કે તીર્થને મહિમા * ગાવાદ્વારા પ્રભુની પ્રશંસા હોય છે. આવા બન્ને પ્રકારનાં
સેંકડો સ્તવનો કવિ વીરવિજયે બનાવ્યાં છે. એવી કૃતિમાંથી કેટલા• કને કાળ મળે છે, કેટલાકને મળતો નથી. તેમનાં કેટલાંક રતવને નીચે પ્રમાણે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com