SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પર વીર-ધર્મને પુનરુદ્ધાર. હોક્કા ગડગડાવવામાં યા ચાર–દાસ્તાની સાથે હરવા-ફરવામાં અને ટી-ટીફીન ઉડાવવામાં કરે છે. આવી આદતવાળાઓ પિતાના ઘરને પિતાની સંગતિને રીતસર લાભ નથી આપી શકતા, અને તેનું પરિણામ કદાચિત્ એ આવે છે કે તેમને ગૃહ-સુખથી હાથ ધોઈ નાંખવાનો વખત આવે છે. એ સ્વાભાવિક છે કે નવરાશના વખતમાં પિતાને ટાઈમ પસાર કરવાનું મન ત્યાં જ થાય કે જે પિતાનું સહુથી વધારે ઈષ્ટ હોય. ત્યારે જેઓ પત્ની અને બાળબચ્ચાંવાળું પિતાના ઘરનું આંગણું પડતું મૂકી, પોતાના ઘરને પોતાની સંગતિદ્વારા લાભ નહિ આપતાં બીજે ઠેકાણે વ્યર્થ સમય પસાર કર્યા કરે, તેમને માટે તેમની પત્ની અને તેમના બાલ-બચ્ચાંનાં હદયમાં કે ખ્યાલ બંધાય! તેઓ સ્પષ્ટ સમજી જાય કે તેમના ઘરને માલિક તેમને સ્પષ્ટ રૂપે કહી રહ્યો છે કે – મને તમારી સંગતિ કરતાં બીજાઓની સંગતિમાં વધારે રસ પડે છે. પછી આને જવાબ તેઓ કેવી રીતે વાળે ? બસ, ઘરની દુર્દશાનું મૂળ આમાંથી ઉદભવે. પતિનું કર્તવ્ય છે કે તેણે પિતાને આચરણ-વ્યવહાર એ શુદ્ધ રાખ જોઈએ કે તેના વિષે તેની પત્નીને સંદેહ લાવવાનું કારણ ન મળે. એ બાબતમાં સ્ત્રીની અંદર આત્મસમ્માનને ભાવ વિશેષ હોય છે. બીજી સ્ત્રી પ્રત્યે પોતાના પતિને અનુરાગ જોઈ તેણીના હદયમાં દાહ પેદા થાય છે અને એથી તે બહુ દુઃખી થાય છે. આમ પોતાની પત્નીને દુખી થવાને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy