SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નિદાન. વીર-ધર્મના પુનરુદ્ધાર. નસમાજની આવી પડતી દશા જે કારણેાને આભારી છે તે ઉપર સમાજ—હિતૈષીએએ વિચારણા કરવાની સખ્ત જરૂર છે. જ્યાં સુધી વ્યાધિનું બરાબર જ્ઞાન ન થાય, ત્યાં સુધી ચિકિત્સા થવી શકય નથી. કયા રાગેાના ઉફાળા સમાજના સંહાર કરી રહ્યા છે એ પરખવાની પહેલી તકે જરૂર છે, મારી નમ્ર બુદ્ધિ પ્રમાણે,પૂર્વકાળની સમાજની જાહેાજલાલી જે કારણેાને આભારી હતી, તે છે-સંગઠન અને વ્યવસ્થિત ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ ખરી રીતે તે ગણાય કે જેનું ચણતર બ્રહ્મચર્યાશ્રમના પાયા પર થયુ' હાય. અને જ્યાં બ્રહ્મચર્યાશ્રમપૂર્ણાંક ગૃહસ્થાશ્રમની સાધના હોય ત્યાં પછી વિદ્યા, વિવેક, સદાચાર, બલ, શક્તિ અને શૌય વિષે શું પૂછવું ! આ જ કારણેાના આધાર પર સમાજના ભૂતકાળ જાહેાજલાલી ભાગવતા હતા. આના જ પ્રતાપે સમાજની ગારવ-પતાકા દેશમાં સૂકતી હતી. આના જ પ્રભાવે સમાજ ઢૌલતમન્દ અને સુખસમ્પન્ન, યશસ્વી અને તેજસ્વી હતા. ધમ વીરા તથા ધરધરાની ઉત્પત્તિનાં પણ કારા આ જ હતાં. આજે નથી સંગઠન—ખળ, કે નથી ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા. એટલેજ સમાજની અધેાગતિ થઈ રહી છે. આ કારણેા વિષે કંઇક વિચારણા કરવી એ આ લેખના વિષય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy