SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તિમ ઉદ્ગારે, ૧૫૩ ફેલાયેલી છે તેના ઝપાટામાં ન આવતાં, તેનાથી ન ડરતાં અને તેને વધારવાની ચેષ્ટા પણ ન કરતાં, મહાવીરને નામે, જૈનશાસનને નામે, સમાજના કલ્યાણ ઉપર દષ્ટિબિન્દુ રાખી, તેના હિતની ખાતર શક્તિભર પ્રયત્ન કરતા આગળ વધે ! શાતવૃત્તિથી વિચાર કરવાની જરૂર છે કે, હેટાં મોટાં દેરાસરો, હેટા મહેટા મુગટો, તથા સંઘ, ઉજમણું વગેરેની પાછળ જેટલો ખર્ચ કરાય છે, એટલે સમાજસુધારાની દિશા તરફ કરાય છે ખ? મિત્રો ! તમને નથી લાગતું કે દુનિયાની બીજી કેમે પિતાના સમાજને આગળ ધપાવવા મહાન પ્રયને સેવી રહી છે, ત્યારે જેનો એ દિશા તરફ બહુ ઓછું ધ્યાન આપે છે? આ બેદરકારી સમાજની પડતી દશાનું કારણ નથી શું? દેરાસર, સંઘ, ઉજમણુ વગેરે તરફ જે ધનને વહેળો વહે છે તે સમાજપુષ્ટિનાં કાર્યો તરફ વળે તેમાં કંઈ હરકત ખરી? અને એમ કરવું એ સમાજક્ષેત્રના વિકાસ માટે બહુ જરૂરનું છે એ વાત તમારે ગળે ઉતરે છે વારૂ! સમાજ કેવી રૂણ દશામાં છે એને ખ્યાલ તમને આવે છે કે સમાજની રૂષ્ણ દશા વધતી ચાલી, તે દહેરાં વગેરેને લાભ તે લઈ શકવાને કે? સમાજની રુણ દશા વધતાં ‘દેરાસર વગેરે સંસ્થાઓની શી દશા થાય એની તમને કંઈ ગમ પડે છે? મારા નમ્ર મત પ્રમાણે આજે સમાજ ઉન્નતિ પર હાય એવું એકકે ચિન્હ દેખાતું નથી. બલકે વિનાશના પંથે તેની વેગભરી ગતિ થઈ રહી હોય એમ લેવામાં આવે છે. તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy