SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જેનોનું કર્તવ્ય [: પર ? આ માટે બ્રિટીશ ગવર્મેન્ટના તંત્રની રીત માટે હું તમારી આગળ એક પ્રસંગ આપી શકું છું. જ્યારે ૧૯૪૫ માં યુદ્ધ છતાયા પછી, કામદાર સરકાર બહુમતીથી ચુંટાઈને આવી ને એટલી વડા પ્રધાનપદે આવ્યા. ત્યારે ચર્ચાલને પ્રધાનપણું રાજીનામું આપી ખસી જવું પડયું. આમ કામદાર સરકાર ને ચર્ચાલ–આ બન્ને વચ્ચે વારંવાર પાર્લામેન્ટમાં ચકમક ઝરતી હોય, છતાં ય જ્યારે એકાદ અવસરે ચર્ચાલ અમેરિકા ગયા, ને જ્યાં ન્યૂયોર્કના આંગણે પગ મૂકે છે ત્યારે તેજ વેળા અમેરિકાના પત્રકારે તેમની આજુબાજુ ફરી વળ્યા ને પૂછયું કે, “બ્રિટનની નવી કામદાર સરકારની નીતિને અંગે તમારે કાંઈ કહેવાનું છે કે?” ત્યારે ચર્ચાલે વિના સંકોચે જવાબ આપ્યો કે -બ્રિટનને કામદાર પક્ષ શું કરે છે? કે એની નીતિમાં શું કહેવાનું છે ? આ બધી ચર્ચા અમે અમારી પાર્લામેન્ટમાં કરીશું. એ કામદાર સરકારની નિતિ-રીતિ માટે મારે જે કાંઈ કહેવાનું છે તે હું ત્યાં કહીશ.” આ સાંભળતાં જ અમેરિકન પત્રકારો ઠંડા પડી ગયા. આ પ્રસંગને એટલા જ માટે અહિં મેં મૂકયે છે કે પરસ્પરના ધણા મતભેદો છે, એને અંગે આપણે અત્યારસુધી ઘણું - ઘણું પરસ્પર લડ્યા, ઝઘડ્યા, પણ હવે ધર્મવિરોધી લેકે આપણી ફાટપુટને જાણી ગયા છે. એથી એ લેકે આપણું માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે, માટે અંદરના મતભેદ ભૂલી ઐય, સં૫, ઔદાર્ય, સહિષ્ણુતા આ બધા ગુણોને ધર્માત્માઓએ અવશ્ય કેળવવાં પડશે. તદુલ મત્સ્યનું દષ્ટાંત વિચારય છે: આજના આ પ્રસંગે આપણે એ વસ્તુ વિચારવા જેવી છે કે, હિંદની આર્યપ્રજા જે હિંસાના માર્ગે મનથી, વાણીથી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy