SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેનું કર્તવ્ય : ૧૬ : નિરાશ્રિતને રાહત માટે જ્યારે આ મીલકતને ઉપયોગ કરવા માટે ગાંધીજીને એક ભાઈએ પત્ર લખીને પૂછાવ્યું હતું, તેના જવાબમાં તે મીલકતના એક ટ્રસ્ટી તરીકે ગાંધીજીએ જણાવ્યું હતું કે, મને પત્ર લખનારને આશય સારે હોવા છતાં તે સ્મારકનિધિના ટ્રસ્ટની કલમમાં જણાવ્યા મુજબના કાર્ય સિવાય અન્ય કોઈપણ કાર્યમાં તે મીલ્કતને હું વ્યય કરી શકું નહિં ને તેમ કરવાની કેઈને સલાહ પણ ન આપી શકું.” તે પછી જૈન મંદિરોની ધાર્મિક મીકતે, જે લેકે એ પોતાની ભક્તિ શાસ્ત્રાનુસાર ધર્મસ્થાનમાં સમર્પિત કરી છે, તે લેઓના ધર્મશાને ફરમાનોની આજ્ઞાને લંઘીને તેને ઉપયોગ કરે તે પણ તે પ્રજાની ધાર્મિક મીલકતના ટ્રસ્ટી તરીકે એ તદ્દન અનુચિત ને અન્યાયી કાર્ય છે. માટે જ આપણે ઈચ્છીએ છીએ કે જૈન સમાજની ધાર્મિક મીલ્કતને આ રીતે સત્તાના કોરડાથી કબજે લઈને ઉદેપુરના મહારાણાએ ધર્મશ્રદ્ધાળુ જેનેની ધાર્મિક લાગણીને જે આઘાત પહોંચાડનારું પગલું ભર્યું છે, તેને ખૂબ વિચારપૂર્વક પાછું ખેંચી લે ને જેનેને યોગ્ય ન્યાય આપે. સત્તા મલ્યા પછી પચતી નથી– આજે કોંગ્રેસ સત્તા પર આવે છે, તે પ્રસંગને અનુલક્ષીને આ જહેર સભા યોજાઈ છે, તેમાં આ બધા પ્રશ્નોની સામુદાયિક વિચારણું કરી, ઘટિત ઠરાવ કરવા માટે જ આપણે આ પ્રયત્ન છે. ઉદેપુરના મહારાણુ જેમ આપણુ મીલકત પર અનુચિત હસ્તક્ષેપ કરવા તૈયાર થયા છે; તેમ મુંબઈની કોંગ્રેસ સરકાર, આપણું ધર્મસ્થાનોનાં માલીકી હક્કને ઝૂંટવી લેવા તૈયાર થઈ છે. આજે પ્રજાકીય સરકાર સ્થપાઈ રહી છે, તે કઈ એમ પૂછે કે, આ સરકારનું કાર્યક્ષેત્ર શું? આજે તે કેગ્રેિસ સરકાર પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy